PICS: ભારતમાં આવેલી વિદેશી યુવતીની કોલગર્લથી મોતની સફર
દિલ્હીના ઉજ્બેકિસ્તાનની બે યુવતીઓને સનસનીખેજ હત્યા પછી તેવો ખુલાસો થયો જેને કાનૂનને હલાવીને રાખી દીધો. આ ખુલાસાએ સાફ કરી દીધું કે ભારતમાં વિદેશથી આવેલી છોકરીઓ દેહવેપારના ધંધાનો મહત્વનો હિસ્સો છે.
Photos: ભારતના બદનામ બજાર, જ્યાં થાય છે ખુલ્લેઆમ દેહવ્યાપાર
તેમાંથી સૌથી વધુ સંખ્યા ઉજ્બેકિસ્તાન અને તેની આસપાસના દેશોથી આવેલી છોકરીઓની છે. જે બે છોકરીઓની હત્યા થઇ તે પણ દેશમાં ચાલી રહેલા મોટા સેક્સ રેકેટનો હિસ્સો હતી. તો ચલો તમને વિસ્તારમાં જણાવીએ કે શખાનોઝા અને નાઝ જેવી છોકરીઓ કેમ ઉજ્બેકિસ્તાનથી ભારત આવે છે અને કેવી રીતે નેપાળ, ઉજ્બેકિસ્તાનથી આવેલી છોકરીઓને દેહવેપારના ધંધામાં લગાવવામાં આવે છે. તો વાંચો આ ફોટોસ્લાઇડર...
શખાનોઝાના ઘરથી મળ્યો પત્ર જેમાં થયો ખુલાસો
હત્યા પછી 28 વર્ષની શખાનોઝાના ઘરની તલાસી લેવામાં આવી જેમાં એક પત્ર મળ્યો. આ પત્ર શખનોજાએ ભારતમાં આવેલા ઉજબેકિસ્તાનના દૂતવાસને લખ્યાં હતો. અને તેમાં પોતાને આ દેહવેપારના ધંધામાંથી બચાવવા માટે મદદની માંગ કરી હતી.
પૈસાની તંગી
શખાનોઝાએ ચિઠ્ઠીમાં પોતાના વિષે લખ્યું હતું. તેણે કહ્યું કે મારો જન્મ 21 જાન્યુઆરી 1987માં થયો હતો. હું મારા પરિવારની એકલી દિકરી હતી. અમે તેવી સ્થિતિમાં રહેતા હતા જ્યાં નહતી વિજળી અને ન હતો ગેસ. મને નોકરીનું જરૂર હતી. ત્યારે મારી ઓળખાણ વોદનિકમાં મુયસ્સર નામની છોકરીથી થઇ. તેને કહ્યું કે ભારતમાં તેની મિત્રની આંટી રહે છે જે તને કામ આપી શકે છે.
નેપાળના રસ્તે ભારત
ઉજબેકિસ્તાનના દૂતાવાસમાં લખેલા પત્રમાં શખનોવાએ કહ્યું કે તે ભારત નેપાળના રસ્તે આવી હતી. તે 9 ઓગસ્ટના રોજ તાશકેંટથી ઇસ્તાંબૂલ અને ઇસ્તાબૂલથી કાઠમાંઠુ આવી હતી.
પાસપોર્ટ છીણવી લીધો
શખાનોઝાએ પત્રમાં લખ્યું કે નેપાળ તે પાંચ દિવસ માટે રોકાઇ હતી. તેનો પાસપોર્ટ તેમ કહીને લઇ લેવામાં આવ્યો હતો કે નોકરી માટે ઓળખ માટે તેની ઉપયોગ કરવામાં આવશે.
દલાલના ઘર રહેતી હતી
નેપાળમાં શખાનોઝાની મુલાકાત મંજીત અને ગુરિંદર નામના બે વ્યક્તિ સાથે કરાઇ. ગુરિંદરનું સાચું નામ ગગન હતું. મંજીતની પત્ની દિલ્યા પણ તેમની સાથે જોડાયેલી હતી. ભારત આવ્યા પછી શખાનોઝા દિલ્યાના ઘરે ખાવાનું બનાવવા લાગી.
ચંદીગઢમાં પહેલીવાર થયો સોદા
શખનોઝાએ પત્રમાં લખ્યું છે કે ગત 20 ઓગસ્ટના રોજ તેને કહ્યું કે હવે તારે કામ પર જવું પડશે. અમે ચંદીગઢ ગયા. ત્યાં હાજર છોકરી મને તૈયાર થઇને બેસવાનું કહ્યું. દિલ્યાની છોકરી જમીરા અહીં દેહવેપારનો ધંધો ચલાવતી હતી. હું કંઇ સમજુ તે પહેલા મને દેહવેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી.
એક રાતમાં 10-10 ગ્રાહક
શખાનોઝા જેવી છોકરીઓને ભારતમાં દરરોજ રાતે 10-10 ગ્રાહકો જોડે મોકલવામાં આવે છે. દલાલ પણ વિદેશી છોકરીઓ માટે મોં માંગ્યા પૈસા આપે છે. વિદેશથી આવેલી શખાનોઝા જેવી ઉજબેક છોકરીઓની કિંમત અહીં વધુ છે.