Vanraj Andekar Murder: પૂણેમાં અજીત પવાર જૂથના પૂર્વ એનસીપી કોર્પોરેટર વનરાજ આંદેકરની ગોળી મારી હત્યા

Vanraj Andekar Murder: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પૂર્વ કાઉન્સિલર વનરાજ આંદેકરની રવિવારે (1 સપ્ટેમ્બર) રાત્રે પૂણેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમને પાંચ ગોળી વાગી હતી. ગોળી વાગ્યા બાદ તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

જોઈન્ટ પોલીસ કમિશનર રંજન કુમાર શર્માએ જણાવ્યું કે આ ઘટના શહેરના નાના પેઠ વિસ્તારમાં બની હતી. અહીં પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કાઉન્સિલર વનરાજ આંદેકર પર કેટલાક અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ પાંચ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં તેમને KEM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

Vanraj Andekar

આંદેકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાસૂન હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આંદેકરને તીક્ષ્ણ હથિયારોથી ઘણી ઈજાઓ થઈ હતી. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજ્ય પ્રશાસક હેઠળ લાવતા પહેલા વનરાજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અવિભાજિત) સાથે સંકળાયેલા હતા.

વનરાજ આંદેકર 2017ની પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તેમના પરિવારનો નોંધપાત્ર રાજકીય અને ગુનાહિત ઇતિહાસ છે. તેમની માતા રાજશ્રી આંદેકર અને કાકા ઉદયકાંત આંદેકર બંને કાઉન્સિલર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની બહેન વત્સલા અંદેકર પુણેના મેયર હતા. સૂર્યકાંત આંદેકરની આગેવાની હેઠળની આંદેકર ગેંગ હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓનો લાંબો ઇતિહાસ ધરાવે છે.

પ્રભાવમાં ઘટાડો થયો હોવા છતાં, ગેંગ વચ્ચેના તાજેતરના તણાવ અને અતુલ કુદલેની હત્યાના નિષ્ફળ પ્રયાસે હિંસા ફરી શરૂ કરી છે. ગેંગના ઘટતા વર્ચસ્વ અને આંતરિક હતાશાને તાજેતરની હિંસામાં ફાળો આપતા પરિબળો તરીકે દર્શાવવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X