આંધ્રપ્રદેશના પૂર્વ મનુખ્યમંત્રી કોનિજેતી રોસૈયાનું નિધન, શોકનો માહોલ
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ કોનિજેતી રોસૈયાનું આજે (શનિવાર) સવારે નિધન થયું છે. તેમણે 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રાપ્ત માહિતી અનુસાર, કે રોસૈયા લાંબા સમયથી બીમાર હતા, તેમના નિધનથી
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ કોનિજેતી રોસૈયાનું આજે (શનિવાર) સવારે નિધન થયું છે. તેમણે 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પ્રાપ્ત માહિતી અનુસાર, કે રોસૈયા લાંબા સમયથી બીમાર હતા, તેમના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રોસૈયા કોંગ્રેસ પાર્ટીના અગ્રણી વ્યક્તિ હતા, તેમને સૌથી અનુભવી નેતા પણ માનવામાં આવે છે. કોનિજેતી રોસૈયા 3 સપ્ટેમ્બર 2009 થી 24 નવેમ્બર 2010 સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા.
કોનિજેટી રોસૈયાનો જન્મ 4 જુલાઈ 1933ના રોજ થયો હતો. તેઓ કર્ણાટકના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે, તેમણે 28 જૂન 2014 - 31 ઓગસ્ટ 2014 સુધી રાજ્યના 17મા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. આ પછી, તેઓ 31 ઓગસ્ટ 2011 થી 30 ઓગસ્ટ 2016 સુધી તમિલનાડુના રાજ્યપાલ પણ હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં ગણાતા કોનિજેતી રોસૈયા ધારાસભ્ય અને સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં તેમણે અનેક મંત્રી પદ સંભાળ્યા હતા. તમિલનાડુના રાજ્યપાલ તરીકેના તેમના 5 વર્ષ દરમિયાન જ તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા હતા.
Hyderabad | Former CM of unified Andhra Pradesh and former governor of Tamil Nadu, K Rosaiah passed away today morning pic.twitter.com/tY3VMj8O1c
— ANI (@ANI) December 4, 2021