ચંદ્રાયન 3 બાદ સૂરજ માટે Aditya L1 મિશન કેટલુ જરૂરી? જાણો ISRO ના પૂર્વ ચૂફે શુ કહ્યુ
Aditya L1 Mission: ચંદ્રમાના સઉથ પોલ પર મળેલી સફળથા બાદ હવે ભારત સૂર્યનુ અધ્યયન માટે પોતાનો પહેલી સ્પેસ મિશન આદિત્ય એલ લોન્ચ કરવા જઇ રહ્યુ છે. આદિત્ય એલની લોન્ચિગ 2 સપ્ટેમ્બરના રોજ શ્રીહરિકોટાથી થવાની છે. તેના પહેલા આ મિશન ને લઇને ઇસરોના પૂર્વ અધ્યક્ષ માધવન નાયરે મોટી પ્રતિક્રિયા આપી હતી.

ઇસરોના પૂર્વ ચીફ જી માધવન નાયરે દેશના પહેલા સોલર મીશનને લઇને કહ્યુ કે, ચંદ્રાયન મિશન બાદ આદિત્ય એલ ના પ્રક્ષેપણ ની જાહેરાત એક તાર્કિક પગલુ છે.
ન્યુઝ એજેન્સી ને આપેલા એક નિવેદનમાં પૂર્વ ઇસરો ચીફે કહ્યુ કે, મને એ જાણીને ખુશી થઇ છે કે, આદિત્ય એલ 1 ને પ્રક્ષેપણ સપ્ટેમ્બર 2 ના રોજ શ્રી હરિકોટા ખાતેથી થવાનુ છે. આ એક એવુ મીશન છે જેની લાંબા સમયથી ઇસરો વિચાર કરી રહ્યુ હતુ.
તેમણે સોલાર મિશનને ચંદ્રાયન બાદ મોકવાનુ યોગ્ય ઠેરવયુ છે. પૂર્વ ઇસરો અધ્યક્ષે એએનઆઇ સાથે વાત કરતા કહ્યુ કે, સૂર્ય અને સૌરની તળેટી પર થનાર તેની વિવિધ ઘટનાઓ અને પૃથ્વી પર ઇસરોના પ્રભાવ અંગે વધારે અધ્યયન કરવુ આદિત્ય મિશન માટે નિર્ધારીત લક્ષય છે.
મિશન અંગે જણાવતા જી માધવન નાયરે કહ્યુ કે, પૃથ્વીથી લગભગ 15 મિલિનય કિમી દુર લેગ્રોજિયન પ્વાઇટ પર રાખવામાં આવશે. અને તે સતત સૌર સતહનું નિરીક્ષણ કરશે" મિશનનુ મહત્વ અંગે બોલતા પૂર્વ ઇસરો પ્રમુખે કહ્યુ કે, સૂર્ય જ એક માત્ર સ્રોત છે જેના પર પૂથ્વી નિર્ભર છે.












Click it and Unblock the Notifications
