મનમોહન સિંહ જશે કરતારપુર સાહિબ, પંજાબ CM અમરિંદર સિંહના આમંત્રણનો કર્યો સ્વીકાર
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મનમોહન સિંહને સર્વદલીય ટીમ સાથે કરતારપુર સાહિબ જવા માટે આમંત્રણ આપ્યુ હતુ. જેનો તેમણે સ્વીકાર કર્યો છે.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પાકિસ્તાનના કરતારપુર સાહિબ જશે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મનમોહન સિંહને સર્વદલીય ટીમ સાથે કરતારપુર સાહિબ જવા માટે આમંત્રણ આપ્યુ હતુ. કેપ્ટન અમરિંદર સિંહના આમંત્રણને મનમોહન સિંહે સ્વીકારી લીધુ છે. આવતા મહે મનમોહન સિંહ તમામ દળના નેતાઓ સાથે પાકિસ્તાનના કરતારપુર સાહિબ જશે. તમને જણાવી દઈએ કે આવતા મહિનાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કરતારપુર સાહિબમાં ગુરુનાનક સાહેબના દર્શન કરવા માટે જશે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં ગુરુનાનક દેવના દર્શન માટે શ્રદ્ધાળુઓ પાસે પાસપોર્ટ હોવો મહત્વનુ છે. જો કે અહીં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને પાકિસ્તાનના વિઝા લેવાની જરૂર નથી પરંતુ તેમની પાસે પાસપોર્ટ હોવો જોઈએ અને સાથે તેમણે ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. આની મહત્વની શરત એ છે કે જો કરતારપુર સાહિબના દર્શન કરવા જઈ રહ્યા છો તે એક મહિના પહેલા જ તમારે ઑનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે.
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મંગળવારે કરતારપુર કૉરિડોરના કામની સમીક્ષા માટે બેઠક કરી જેમાં એ તથ્ય સામે આવ્યુ છે કે શ્રદ્ધાળુઓ પાસે પાસપોર્ટ હોવા અનિવાર્ય છે. કરતારપુર કૉરિડોર જતા દરેક વ્યક્તિ પર પાકિસ્તાન તરફથી 20 ડૉલરનુ શુલ્ક લેવામાં આવશે. આ બેઠકમાં હાજર એક અધિકારીએ જણાવ્યુ કે મુખ્યમંત્રીએ આ દરમિયાન પ્રસ્તાવ મૂક્યો કે પાસપોર્ટની જગ્યાએ કોઈ અન્ય દસ્તાવેજ જેવા કે આધાર કાર્ડને માન્ય કરવો જોઈએ. આ બેઠકમાં કેન્દ્ર તરફથી પણ ઘણા અધિકારી હાજર હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
