યુપીના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરેશી પર રાજદ્રોહનો કેસ દાખલ, યોગી સરકાર પર કરી હતી ટીપ્પણી
યુપી પોલીસે ઉત્તરપ્રદેશના પૂર્વ ગવર્નર અઝીઝ કુરેશી વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધ્યો છે. આ FIR મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં નોંધવામાં આવી છે. કુરેશી સામે રવિવારે આ કાનૂની કાર્યવાહી કરવામ
યુપી પોલીસે ઉત્તરપ્રદેશના પૂર્વ ગવર્નર અઝીઝ કુરેશી વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધ્યો છે. આ FIR મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં નોંધવામાં આવી છે. કુરેશી સામે રવિવારે આ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. રામપુર જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા આકાશ સક્સેનાની ફરિયાદ પર અઝીઝ કુરેશી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

કુરેશીએ યુપી સરકારને 'શેતાન અને લોહી ચૂસતા રાક્ષસ' સાથે સરખાવી
બીજેપી નેતા આકાશ સક્સેનાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે અઝીઝ કુરેશી પૂર્વ મંત્રી આઝમ ખાનના ઘરે તેમની પત્ની અને રામપુરના ધારાસભ્ય તંઝીમ ફાતિમાને મળવા ગયા હતા, જ્યાં તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીવાળી સરકારને "શેતાનો અને લોહી ચૂસતા રાક્ષસો" સાથે સરખાવી હતી. માંથી કરવામાં આવે છે પોલીસના જણાવ્યા અનુસાર, આકાશ સક્સેનાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે કુરેશીનું વિવાદાસ્પદ નિવેદન બે સમુદાયો વચ્ચે તણાવ પેદા કરી શકે છે અને કોમી રમખાણો પણ સર્જી શકે છે.
|
ભાજપના નેતાની ફરિયાદ પર કેસ નોંધાયો
ભાજપના નેતાની ફરિયાદ પર પૂર્વ રાજ્યપાલ વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહ (124A), કલમ 153A હેઠળ ધર્મ, જાતિઓ વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વિરુદ્ધ નિવેદન માટે 153B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. લોકોમાં મૂંઝવણ અને ગભરાટ ફેલાવવા માટે IPC ની કલમ 505 (1) (b) હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે.

કેશવ મૌર્યએ કહ્યું - અયોગ્ય ભાષાનો ઉપયોગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યએ કહ્યું કે, અયોગ્ય ભાષાનો ઉપયોગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આઝમ ખાન વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારની બાજુ અને પોલીસની બાજુ કોર્ટ સમક્ષ મુકવામાં આવી છે. જો કોઈને સરકાર સાથે ફરિયાદ હોય તો કોર્ટ સરકારથી ઉપર છે. કોર્ટમાં તમારી વાત રાખો અને ખોટા નિવેદનો આપવાનું બંધ કરો.












Click it and Unblock the Notifications
