યુપીના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરેશી પર રાજદ્રોહનો કેસ દાખલ, યોગી સરકાર પર કરી હતી ટીપ્પણી
યુપી પોલીસે ઉત્તરપ્રદેશના પૂર્વ ગવર્નર અઝીઝ કુરેશી વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધ્યો છે. આ FIR મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં નોંધવામાં આવી છે. કુરેશી સામે રવિવારે આ કાનૂની કાર્યવાહી કરવામ
યુપી પોલીસે ઉત્તરપ્રદેશના પૂર્વ ગવર્નર અઝીઝ કુરેશી વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધ્યો છે. આ FIR મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં નોંધવામાં આવી છે. કુરેશી સામે રવિવારે આ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. રામપુર જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા આકાશ સક્સેનાની ફરિયાદ પર અઝીઝ કુરેશી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

કુરેશીએ યુપી સરકારને 'શેતાન અને લોહી ચૂસતા રાક્ષસ' સાથે સરખાવી
બીજેપી નેતા આકાશ સક્સેનાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે અઝીઝ કુરેશી પૂર્વ મંત્રી આઝમ ખાનના ઘરે તેમની પત્ની અને રામપુરના ધારાસભ્ય તંઝીમ ફાતિમાને મળવા ગયા હતા, જ્યાં તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આગેવાનીવાળી સરકારને "શેતાનો અને લોહી ચૂસતા રાક્ષસો" સાથે સરખાવી હતી. માંથી કરવામાં આવે છે પોલીસના જણાવ્યા અનુસાર, આકાશ સક્સેનાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે કુરેશીનું વિવાદાસ્પદ નિવેદન બે સમુદાયો વચ્ચે તણાવ પેદા કરી શકે છે અને કોમી રમખાણો પણ સર્જી શકે છે.
|
ભાજપના નેતાની ફરિયાદ પર કેસ નોંધાયો
ભાજપના નેતાની ફરિયાદ પર પૂર્વ રાજ્યપાલ વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહ (124A), કલમ 153A હેઠળ ધર્મ, જાતિઓ વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વિરુદ્ધ નિવેદન માટે 153B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. લોકોમાં મૂંઝવણ અને ગભરાટ ફેલાવવા માટે IPC ની કલમ 505 (1) (b) હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે.

કેશવ મૌર્યએ કહ્યું - અયોગ્ય ભાષાનો ઉપયોગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
યુપીના ડેપ્યુટી સીએમ કેશવ મૌર્યએ કહ્યું કે, અયોગ્ય ભાષાનો ઉપયોગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આઝમ ખાન વિરુદ્ધ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારની બાજુ અને પોલીસની બાજુ કોર્ટ સમક્ષ મુકવામાં આવી છે. જો કોઈને સરકાર સાથે ફરિયાદ હોય તો કોર્ટ સરકારથી ઉપર છે. કોર્ટમાં તમારી વાત રાખો અને ખોટા નિવેદનો આપવાનું બંધ કરો.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો












Click it and Unblock the Notifications
