બીજથી બજાર સુધી: મોદીના નેતૃત્વ હેઠળ ભારતની કૃષિ ક્રાંતિ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના 75મા જન્મદિવસે માત્ર રાજકીય નેતા તરીકે જ નહીં પરંતુ ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવનાર નેતા તરીકે યાદ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની અર્ધશુષ્ક જમીનમાં શરૂ થયેલી તેમની કૃષિ સુધારણાની સફર આજે સમગ્ર દેશમાં વ્યાપી ગઈ છે. "બીજથી બજાર સુધી" (Beej se Bazaar Tak)ના સિદ્ધાંતથી પ્રેરિત આ અભિગમે ખેતીને ડેટા અને ટેકનોલોજી આધારિત ઉદ્યોગમાં પરિવર્તિત કરી છે.

2000ના દાયકાની શરૂઆતમાં ગુજરાતનું કૃષિ ક્ષેત્ર વરસાદ પર આધારિત, ઓછા સિંચાઈવાળું અને મુશ્કેલીઓથી ભરેલું હતું. ત્યારે મોદીએ પાણી પર સૌથી પહેલું ધ્યાન કેન્દ્રિત કર્યું. સુજલામ-સુફલામ યોજના, હજારો ચેક ડેમ અને માઇક્રો-ઇરિગેશન પ્રોજેક્ટ્સથી પાણીની અર્થવ્યવસ્થા બદલાઈ ગઈ. નર્મદાના પાણીથી 9,000થી વધુ તળાવો ભરાયા, સાબરમતી નદી પર નવા ડેમ બાંધાયા અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું થયું.
ટેક્નોલોજી અને માટીની તંદુરસ્તી પર ખાસ ભાર મૂકાયો. ગુજરાતે 2003-04માં જ સોઈલ હેલ્થ કાર્ડ શરૂ કરી ખેડુતોને જમીનની પોષક જરૂરિયાત વિશે ચોક્કસ માહિતી આપી. બીટિ કપાસે ગુજરાતને દેશનું કપાસ હબ બનાવી દીધું. સેટેલાઈટ મૅપિંગ અને ડેટા એકત્રિત કરવાની પ્રણાલીએ ખેતીને વધુ વૈજ્ઞાનિક બનાવી.
પશુપાલન અને ડેરી ક્ષેત્રને પણ ગુજરાતમાં મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યા. 2009માં કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના અને બનાસકાંઠામાં એશિયાનો સૌથી મોટો કટલફીડ પ્લાન્ટ શરૂ થવાથી દૂધ ઉત્પાદનમાં 68%નો વધારો થયો. 2024 સુધીમાં ગુજરાત દર વર્ષે 1.73 કરોડ ટન દૂધનું ઉત્પાદન કરવા લાગ્યું.
ખેડૂતો સુધી સીધું પહોંચવા કૃષિ મહોત્સવ અને કિસાન યાત્રા જેવી પહેલો શરૂ થઈ. વૈજ્ઞાનિકો અને અધિકારીઓ ગામડે જઈને માટીના નમૂનાઓ તપાસતા અને ખેડૂતોને તાલીમ આપતા. આ અભિગમથી ગુજરાતનું કૃષિ વૃદ્ધિદર 2011 સુધીમાં લગભગ 11% સુધી પહોંચી ગયું, જે દેશમાં સૌથી વધુ હતું.
2014 પછી વડા પ્રધાન તરીકે મોદીએ આ મોડેલને રાષ્ટ્રીય સ્તરે લાગુ કર્યું. સબ-મિશન ઓન સીડ્સ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, રાષ્ટ્રીય સ્તરે સોઈલ હેલ્થ કાર્ડ, પીએમ-કિસાન જેવી યોજનાઓ, અને બજાર સુધારણા માટે ઈ-નામ ડિજિટલ પ્લેટફોર્મ સહિતના પગલાં ભરાયા. ડેરી, માછીમારી અને ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન મળ્યું.
પરિણામો નોંધપાત્ર રહ્યા. 2024-25માં ખાદ્ય અનાજનું ઉત્પાદન 340 મિલિયન ટનથી વધુ થયું, જે દાયકામાં 31%નો વધારો દર્શાવે છે. દૂધ ઉત્પાદનમાં 63%નો વધારો થયો, જેથી ભારત વિશ્વનો સૌથી મોટો ડેરી ઉત્પાદક બની ગયો. માછીમારી ક્ષેત્રે પણ રેકોર્ડ નિકાસ નોંધાઈ.
ગુજરાતમાં શરૂ થયેલી આ "શાંત ક્રાંતિ" હવે ભારતની કૃષિ અર્થવ્યવસ્થાની રીડ બની છે. નિષ્ણાતો તેને ભારતની "બીજી લીલી ક્રાંતિ" કહે છે-જે પહેલી કરતાં વધુ વ્યાપક, વધુ ટકાઉ અને વધુ સર્વસમાવેશક છે. સૌથી અગત્યનું એ છે કે આ પરિવર્તન શાંતિપૂર્વક પરંતુ શક્તિશાળી રીતે કરોડો ખેડૂતોના જીવનને સ્પર્શી ગયું છે.












Click it and Unblock the Notifications
