મેં વિવેકાનંદની તુલના દાઉદ સાથે નથી કરીઃ ગડકરી
નોંધનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી વિવાદોમાં ધેરાયા છે. ભષ્ટ્રાચારોના વિવાદોથી ધેરાયેલા નિતિન ગડકરી એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. નિતિન ગડકરીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની તુલના આધ્યાત્મિક સંત સ્વામી વિવેકાનંદની સાથે કરી છે.
ભોપાલના એક સ્થાનિક પત્રિકા ઓજસ્વિનીના રાષ્ટ્રીય પ્રતિષ્ઠાપન સમારોહમાં ગડકરીએ કહ્યું હતું કે જો દાઉદ ઇબ્રાહિમ અને સંત વિવેકાનંદના આઇક્યૂનો ટેસ્ટ કરવામાં આવે તો બંનેનું બૌદ્ધિક સ્તર એક જ જોવા મળશે પરંતુ દાઉદે પોતાની બુદ્ધિનો ઉપયોગ આતંક અને ગુનાહ માટે કર્યો તો સ્વામી વિવેકાનંદે પોતાની બુદ્ધિનો ઉપયોગ સમાજ અને દેશને નવી દિશા આપવા માટે કર્યો.
ગડકરીએ કહ્યું હતું કે માણસ પોતાની બુદ્ધિ-કૌશલ્યનો ઉપયોગ સાચી દિશામાં કરવો જોઇએ નહીંતર મુશ્લકેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ માણસ રસ્તો ભટકી ન જાય તે માટે સાચુ માર્ગદર્શન જરૂરી છે. માટે સમાજના બુદ્ધિજીવીઓએ આગળ વધીને સાચી દિશા અને સાચો માર્ગ બતાવવો જોઇએ.