For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ગડકરી આરોપો મુદ્દે મોહન ભાગવતને મળી શકે : સૂત્ર

|
Google Oneindia Gujarati News

nitin-gadkari
નવી દિલ્હી, 19 ઑક્ટોબર : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી પર જમીન મુદ્દે અરવિંદ કેજરીવાલે લગાવેલા આરોપોને મુદ્દે ગડકરી આજે મોહન ભાગવતને મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે વાતચીત કરવા માટે આરએસએસના આગેવાનો ભૈયાજી જોશી અને સુરેશ સોની પણ ભાજપના નેતાઓને મળવાના છે.

આ અઠવાડિયે અરવિંદ કેજરીવાલે ગડકરી પર આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રમાં ખેડૂતોના પેટે લાત મારીને ગડકરીનો બિઝનેસ વૃધ્ધિ પામી રહ્યો છે. કેજરીવાલે કહ્યું હતું કે ખેડૂતોની હજારો એકર જમીન ગેરકાયદેસર રીતે મેળવીને તેને ઉદ્યોગ માટે આપવામાં આવી હતી.

કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે ખેડૂતોની પાણીની સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવેલા રામા ડેમનું 95 ટકા પાણી નીતિન ગડકરી પોતાની ફેક્ટરીમાં ઉપયોગમાં લે છે. આ આરોપોમાં ભાજપને રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરે કેવું અને કેટલું નુકસાન પહોંચી શકે તે મુદ્દે આજે ભાજપના નેતાઓ અને આરએસએસના આગેવાનો વચ્ચે બેઠક યોજાશે.

English summary
Gadkari will meet to Mohan Bhagwat : sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X