આજે ગડકરી આરોપો મુદ્દે મોહન ભાગવતને મળી શકે : સૂત્ર

આ અઠવાડિયે અરવિંદ કેજરીવાલે ગડકરી પર આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રમાં ખેડૂતોના પેટે લાત મારીને ગડકરીનો બિઝનેસ વૃધ્ધિ પામી રહ્યો છે. કેજરીવાલે કહ્યું હતું કે ખેડૂતોની હજારો એકર જમીન ગેરકાયદેસર રીતે મેળવીને તેને ઉદ્યોગ માટે આપવામાં આવી હતી.
કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે ખેડૂતોની પાણીની સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવેલા રામા ડેમનું 95 ટકા પાણી નીતિન ગડકરી પોતાની ફેક્ટરીમાં ઉપયોગમાં લે છે. આ આરોપોમાં ભાજપને રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરે કેવું અને કેટલું નુકસાન પહોંચી શકે તે મુદ્દે આજે ભાજપના નેતાઓ અને આરએસએસના આગેવાનો વચ્ચે બેઠક યોજાશે.












Click it and Unblock the Notifications
