For Quick Alerts
For Daily Alerts
આજે ગડકરી આરોપો મુદ્દે મોહન ભાગવતને મળી શકે : સૂત્ર
આ અઠવાડિયે અરવિંદ કેજરીવાલે ગડકરી પર આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રમાં ખેડૂતોના પેટે લાત મારીને ગડકરીનો બિઝનેસ વૃધ્ધિ પામી રહ્યો છે. કેજરીવાલે કહ્યું હતું કે ખેડૂતોની હજારો એકર જમીન ગેરકાયદેસર રીતે મેળવીને તેને ઉદ્યોગ માટે આપવામાં આવી હતી.
કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે ખેડૂતોની પાણીની સમસ્યા હળવી કરવા માટે બનાવવામાં આવેલા રામા ડેમનું 95 ટકા પાણી નીતિન ગડકરી પોતાની ફેક્ટરીમાં ઉપયોગમાં લે છે. આ આરોપોમાં ભાજપને રાષ્ટ્રીય કે રાજ્ય સ્તરે કેવું અને કેટલું નુકસાન પહોંચી શકે તે મુદ્દે આજે ભાજપના નેતાઓ અને આરએસએસના આગેવાનો વચ્ચે બેઠક યોજાશે.
Comments
nitin gadkari mohan bhagwat arvind kejriwal maharashtra નીતિન ગડકરી મોહન ભાગવત અરવિંદ કેજરીવાલ મહારાષ્ટ્ર
English summary
Gadkari will meet to Mohan Bhagwat : sources
Story first published: Friday, October 19, 2012, 12:59 [IST]