કોલ ફાળવણી મુદ્દે કરેલા નિવેદન માટે દિગ્વિજયને નોટિસ પાઠવશે ગડકરી

નોટિસમાં દિગ્વિજય સિંહને ત્રણ દિવસની અંદર બધા જ આરોપો પાછા ખેંચવાની સાથે માફી માંગવાનું કહેવામાં આવ્યું હતું. આમ નહીં કરવામાં આવતા માનહાનિનો કેસ દાખલ કરવા અંગે વિચારવામાં આવશે.
દિગ્વિજય સિંહે ભાજપના સાંસદ અજય સંચેતીને છત્તીસગઢ સરકારની સાથે સંયુક્ત ભાગીદારીમાં મળેલી કોલસાની ખાણ અંગે ગડકરી પર આરોપો લગાવ્યા હતા કે ગડકરી અને સંચેતી બંને વ્યાવસાયિક ભાગીદારો છે. આ કારણે તેમને લાભ મળ્યો છે. આથી ગડકરી આ આરોપોનો જવાબ કાયદેસર રીતે આપવાના છે.












Click it and Unblock the Notifications
