Gandhi Jayanti 2022 : વડાપ્રધાન મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીની આજે જન્મ જયંતિ છે. ગાંધી ગાંધી જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા.
Gandhi Jayanti 2022 : રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીની આજે જન્મ જયંતિ છે. ગાંધી ગાંધી જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા. રાજઘાટ પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને યાદ કરતા પૂષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડકે પણ રાજઘાટ પર પહોંચ્યા હતા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પણ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

મહાત્મા ગાંધીના વિચારોએ સમગ્ર દુનિયાને પ્રભાવિત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને યાદ કરતું એક ટ્વીટર પર વીડિયો શેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે,આ વર્ષે ગાંધી જયંતિ વધુ ખાસ છે. કારણ કે, આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ.
આપણે હંમેશા બાપુના સિદ્ધાંતો પરચાલતા રહેવું જોઇએ. આ સાથે હું દેશના લોકોને અપીલ કરું છું કે, તેઓ ખાદી ઉત્પાદનોનો મહતમ ઉપયોગ કરી ખાદીને પ્રોત્સાહન આપે.
આ સાથે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના વિચારોએ સમગ્ર દુનિયાને પ્રભાવિત કરી છે.
|
મહાત્મા ગાંધીએ અનેક વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર હોય કે નેલ્સન મંડેલા, દરેક વ્યક્તિએ પોતાનાજીવનમાં ગાંધીજીના વિચારો ઉતાર્યા છે. આ લોકોએ પોતાના લોકોને સમાનતાનો અધિકાર અપાવવા માટે એક લાંબી લડાઈ લડી છે.આદરણીય ગાંધી બાપુએ ખેડૂતો, ગામડાઓ, કામદારોના હક્કોનું રક્ષણ, સ્વચ્છતા, શિક્ષણમાં ફેલાવો જેવા અનેક વિષયો પર પોતાના વિચારોદેશવાસીઓ સમક્ષ રજૂ કર્યા છે, જેને આપણે ગાંધી ચાર્ટર તરીકે ઓળખીએ છીએ.
|
હું જે ખરીદી રહ્યો છું, તેનાથી મારા દેશના નાગરિકને ફાયદો થશે કે કેમ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ગાંધી બાપુની વિશેષતા એ હતી, લોકો સાથે જોડાઇ જવું અનેલોકોને તેમની સાથે જોડવા એ તેમના સહજ સ્વભાવમાં હતું. ગાંધી બાપુએ આપણને પ્રેરણાત્મક મંત્ર આપ્યો છે, અને આજે એ જ મંત્ર હુંતમને આપું છું કે, જ્યારે પણ તમને શંકા થાય, તમારો અહંકાર તમારા પર હાવી થવા લાગે, ત્યારે સૌથી ગરીબ વ્યક્તિને યાદ કરો અનેવિચારો કે તેનાથી તે વ્યક્તિને તમારા કામથી કે તમારા થકી કંઈપણ રીતે ફાયદો થશે કે કેમ? જ્યારે પણ આપણે કેટલીક ખરીદી કરીએત્યારે વિચાર કરો કે હું જે ખરીદી રહ્યો છું, તેનાથી મારા દેશના કોઈપણ નાગરિકને ફાયદો થશે કે કેમ. ગરીબમાં ગરીબને ફાયદો થાય તોમારી ખુશી વધુમાં વધુ હશે.

સફાઇ કરશો તો તમને આઝાદી મળશે
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ગાંધીજીએ કહ્યું હતું કે, સફાઇ કરશો તો તમને આઝાદી મળશે, પરંતુતેનાથી ભારતને પણ આઝાદી મળી ગઇ.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
