છોટા હરિદ્વારમાં સ્નાન કરનારાઓના પગ ખેંચીને તેમના આભૂષણો લૂંટી લે છે અને પછી તેમને ડુબાડી છે
દિલ્હીની નજીક ગાઝિયાબાદમાં એક હેરાન કરી નાખે તેવો કેશ સામે આવ્યો છે. હકીકતમાં ગંગનહર કિનારે એક મંદિર પર છોટા હરિદ્વારનું બોર્ડ લાગ્યું છે, ત્યાં મોટી સંખ્યામાં ભક્તો સ્નાન કરવા આવે છે.
દિલ્હીની નજીક ગાઝિયાબાદમાં એક હેરાન કરી નાખે તેવો કેશ સામે આવ્યો છે. હકીકતમાં ગંગનહર કિનારે એક મંદિર પર છોટા હરિદ્વારનું બોર્ડ લાગ્યું છે, ત્યાં મોટી સંખ્યામાં ભક્તો સ્નાન કરવા આવે છે. પરંતુ લોનીના ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે કે મરજીવા અહીં સ્નાન કરવા માટે આવતા ભક્તો પાસેથી લૂંટફાટ કરી અને તેમની હત્યા કરી નાખે છે. લોનીના ભાજપના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જર દ્વારા ડીએમને આ વિષે પત્રમાં લખી આ કેસની તપાસ કરવા માગણી પણ કરી છે.

ભાજપના ધારાસભ્યનો મોટો આરોપ
નંદ કિશોર ગુર્જર દ્વારા લખેલા પત્રમાં ગંભીર આરોપ લગાવામાં આવ્યો છે. પત્રમાં ધારાસભ્યોએ લખ્યું છે કે ગંગનહરમાં એક નાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેના પર છોટા હરિદ્વારનું બોર્ડ મૂકવામાં આવ્યું હતું. અહીં, દિલ્હી એનસીઆર ઉપરાંત હરિયાણા અને આસપાસના અન્ય રાજ્યો જે ભક્તો સ્નાન કરવા માટે આવે છે, તેમની પર મરજીવાની નજર રહે છે. સ્નાન દરમિયાન મરજીવા મહિલાઓ અને પુરુષોના પગ પકડી નીચે દબાવી દે છે અને તેઓ મૃત્યુ પામે છે. આ પછી તેઓ નહેરમાં પેહલાથી હાજર પત્થરો અને દોરડા સાથે લાશોને બાંધી દે છે જેથી તે ઉપર ન આવે.

મરજીવા ભક્તોની હત્યા કરી નાખે છે
ધારાસભ્યનો આરોપ છે કે આ પછી મરજીવા તેમના આભૂષણો કાઢી લે છે. એટલું જ નહીં, પછી તેઓ લાશ શોધવાના નામ પર પણ 20-25 હજાર રૂપિયા લઇ લે છે. ધારાસભ્યનો દાવો છે કે આ વર્ષે ગંગનહરમાં ઘણી સ્ત્રીઓ આ રીતે મૃત્યુ પામી હતી. જ્યારે એક છોકરી બચી જવાનો હવાલો આપી જણાવ્યું કે એ છોકરીએ બહાર આવીને કહ્યું હતું કે કોઈ નહેરમાં તેનો પગ ખેંચી રહ્યો હતો. જયારે હરિયાણાના મૃત વ્યક્તિના સંબંધીઓએ પણ એ પ્રકારની જ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

ધારાસભ્યએ કરી છે તપાસની માગણી
ધારાસભ્યના જણાવ્યા મુજબ, હરિયાણાના પરિવારના સભ્યોએ મરજીવાની મંદિરના પૂજારી સાથેની ચર્ચા વિશેની પણ વાત કરી હતી. તેમણે પત્રમાં લખ્યું હતું કે દરરોજ 2 થી 3 લાશો મળે છે. ધારાસભ્યએ જિલ્લા અધિકારીને પત્ર લખી તપાસ કરવા અને ગેંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
