પિતાની લાશ પાસે આખી રાત વાંચતી રહી દીકરી, સવારે જઈને પરીક્ષા આપી
હાલમાં મહારાષ્ટ્રના મુંબઈથી હેરાન કરતો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો તમને અંદરથી હચમચાવી મુકશે.
હાલમાં મહારાષ્ટ્રના મુંબઈથી હેરાન કરતો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો તમને અંદરથી હચમચાવી મુકશે. તમે ક્યારેય પણ વાંચ્યું છે કે કોઈ વ્યક્તિ આખી રાત લાશ પાસે બેસીને અભ્યાસ કરે? આ ખુબ જ હેરાન કરતી બાબત છે પરંતુ સાચી વાત છે. ખરેખર મહારાષ્ટ્રની રહેવાસી ધોરણ 10 ની વિધાર્થીનીએ પોતાના ખુબ જ નજીકના વ્યક્તિને ઘુમાવ્યા પછી પણ પોતાનું ધ્યાન અભ્યાસ પર જ રાખ્યું. તેને સવારે જઈને પરીક્ષા પણ આપી.

કેન્સરથી પિતાની મૌત
રુંવાટા ઉભા કરતી દેતો આ મામલો મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાનો છે, જ્યાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિધાર્થીની પ્રણીતાં ખેમરાજે કેન્સર સામે ઝઝૂમી રહેલા પોતાના પિતાને ઘુમાવી દીધા. આ સમયે તેની બૉંર્ડની પરીક્ષા ચાલી રહી હતી. પ્રણીતાંના પિતા મહારાષ્ટ્ર નગર નિગમમાં કામ કરતા હતા. પ્રણીતાંના પરિવારમાં તેની માં અને એક ભાઈ છે. પ્રણીતાંનું કહેવું છે કે તેના પિતા તેને હંમેશા કહેતા હતા કે શિક્ષા કોઈનું ભાગ્ય અને ભવિષ્ય બદલી શકે છે.

બીજા દિવસે બોર્ડની પરીક્ષા, આખી રાત અભ્યાસ કર્યો
4 માર્ચ દરમિયાન પ્રણીતાંના પિતાની કેન્સરથી મૌત થઇ ગઈ. બીજા દિવસે પ્રણીતાંનું અંગ્રેજીનું પેપર હતું. પ્રણીતાંએ હિમ્મથી કામ લીધું અને આખી રાત પિતાની લાશ પાસે બેસીને અભ્યાસ કરતી રહી અને સવારે જઈને પોતાની બોર્ડની પરીક્ષાનું પેપર આપ્યું.

પિતાના સપનાઓને પ્રણીતાં પુરા કરે
પરિવાર પિતાના અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યો હતો, જયારે પ્રણીતાં પિતાના સપના પુરા કરવા માટે પરીક્ષા આપી રહી હતી. પ્રણીતાંના પિતાની મૌતની ખબર સ્કૂલ પ્રશાશને પડી ત્યારે સ્કૂલ પ્રિન્સિપાલ એસકે ખોબ્રાગડે, સુપરવાઈઝર આરએમ મુલે, શિક્ષક સંજય પ્રધાન પ્રણીતાંના ઘરે પહોંચ્યા. રાતભર પિતાના શવ પાસે અભ્યાસ કરીને પરીક્ષા આપ્યા પછી પ્રણીતાં પિતાના અંતિમ સંસ્કારમાં શામિલ થઇ.












Click it and Unblock the Notifications
