Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Godhara Riot case : હાલોલ કોર્ટે 17 લોકોની હત્યા અને રમખાણોના 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

Godhara Riot case : પ્રોસિક્યુશન અનુસાર, 17 માર્ચ, 2002ના રોજ ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી, પુરાવાનો નાશ કરવા માટે તેમના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યા હતા. ટ્રાયલ દરમિયાન 84 જેટલા સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.

Godhara Riot case : પંચમહાલ જિલ્લાના દેલોલ ગામમાં 2002 માં લઘુમતી સમુદાયના 17 લોકોની હત્યાના 22 અન્ડરટ્રાયલ આરોપીઓને હાલોલની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા મંગળવારના રોજ પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 18 વર્ષના ટ્રાયલ દરમિયાન 22 આરોપીઓમાંથી આઠ આરોપીઓના મોત થઇ ગયા છે.

Godhara Riot case

આ તમામ આરોપીઓનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ ગોપાલસિંહ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલોલ કોર્ટે પીડિતોના હાડકાં સહિતના તમામ પુરાવાઓની તપાસ કરી હતી, પરંતુ ફોરેન્સિક ટેસ્ટમાં આ સાબિત થઇ શક્યું ન હતું. જે બાદ 2003માં પુનઃ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. કારણ કે, પોલીસ તપાસના દાયરામાં આવી હતી. આ ઉપરાંત 100 થી વધુ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ઘણા સાક્ષી ફરી ગયા હતા.

2002 માં ગોધરામાં સાબરમતી ટ્રેન હત્યાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં 59 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાના એક દિવસ બાદ, 1 માર્ચના રોજ ગોધરાથી લગભગ 30 કિમી દૂર કાલોલ શહેરના દેલોલ ગામમાં રમખાણો ફાટી નિકળ્યા હતા. આ રમખાણો દરમિયાન અનેક ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી, જેમાં લઘુમતી સમુદાયના 17 સભ્યો સળગી ગયા હતા.

આ કેસમાં પોલીસ તપાસ દાયરામાં આવી હતી, જેમાં કાલોલના એક કોપ પર પીડિતો અને સાક્ષીઓની વિનંતીઓ છતાં FIR નોંધી ન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે કારણે આ કેસની પુનઃ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ આ ઘટનાના 20 મહિનાથી વધુ સમય બાદ ડિસેમ્બર 2003માં FIR દાખલ કરવામાં આવી હતી.

આરોપીઓ, જેઓ ફરાર હતા, તેમની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક કોર્ટ દ્વારા તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી, જેના પગલે તેઓએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જે બાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા 2004માં આરોપીઓને જામીન આપવામાં આવ્યા હતા. ત્યારથી આ આરોપીઓ જામીન પર છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલની અદાલતે મંગળવારના રોજ 14 આરોપીઓને ગોધરા 2002 બાદના રમખાણોમાં હત્યા અને રમખાણોના 18 વર્ષ બાદ નિર્દોષ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અન્ય પાંચ આરોપીઓને ટ્રાયલ પેન્ડિંગ દરમિયાન તેમના મૃત્યુને કારણે ટ્રાયલમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.

એડિશનલ સેશન્સ જજ હર્ષ બાલકૃષ્ણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પ્રોસિક્યુશન કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો, જેના કારણે તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, અને કોર્પસ ડિલિક્ટીના નિયમ પર પણ આધાર રાખ્યો હતો. કોર્ટેએ પણ નોંધ્યું હતું કે, કોઈને પણ દોષિત ઠેરવવાનો સામાન્ય નિયમ ન હોય ત્યાં સુધી કોર્પસ ડેલિક્ટી સ્થાપિત કરી શકાય છે.

નિર્દોષ છૂટેલા 14 આરોપીઓમાં મુકેશ ભરવાડ, કિલ્લોલ જાની, અશોકભાઈ પટેલ, નિરવકુમાર પટેલ, યોગેશકુમાર પટેલ, દિલીપસિંહ ગોહિલ, દિલીપકુમાર ભટ્ટ, નસીબદાર રાઠોડ, અલ્કેશકુમાર વ્યાસ, નરેન્દ્રકુમાર કાછીયા, જીણાભાઈ રાઠોડ, અક્ષયકુમાર શાહ અને કિરીટભાઈ પટેલનો સમાવેશ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X