‘ગોલ્ડ મેન’ નીરજ ચોપરાનો ભાલો હરાજીમાં આટલા રૂપિયામાં વેચાયો!
ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાનો ભાલો હરાજીમાં અધધ 1.5. રૂપિયામાં વેચાયો છે. આ વડા પ્રધાન મોદીના સ્મૃતિચિહ્નોની ઈ-હરાજીમાં સૌથી વધુ કિંમત છે. આ માહિતી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.
નવી દિલ્હી : ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાનો ભાલો હરાજીમાં અધધ 1.5. રૂપિયામાં વેચાયો છે. આ વડા પ્રધાન મોદીના સ્મૃતિચિહ્નોની ઈ-હરાજીમાં સૌથી વધુ કિંમત છે. આ માહિતી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. આ વસ્તુઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ તરીકે આપવામાં આવી હતી. આ ભેટોને સ્મૃતિચિહ્ન તરીકે જોવામાં આવે છે.
આવા ચિહ્નોની હરાજીનો આ ત્રીજો રાઉન્ડ હતો અને ભારતના ટોચના રમતવીરોની ભેટની હરાજીને લઈને લોકોમાં ઉત્સાહ હતો. અપેક્ષા મુજબ જ બાજી ગોલ્ડન બોય નીરજ ચોપરાના ભાલાએ મારી. તમને જણાવી દઈએ કે આ હરાજીની રકમ જાહેર કામ માટે વપરાય છે. આમાં, માત્ર રમતો જ નહીં, પરંતુ તમામ પ્રકારની સિદ્ધિઓ સાથે જોડાયેલી ભેટની હરાજી કરાય છે.

ચોપરાના ગોલ્ડ વિજેતા ભાલા બાદ ભવાની દેવીની ઓટોગ્રાફ ફેંસ (1.25 કરોડ રૂપિયા), સુમિત એન્ટિલનો ભાલો (1.002 કરોડ રૂપિયા), ટોક્યો 2020 અને પેરા ઓલમ્પિક દ્વારા ઓટોગ્રાફ કરેલ અંગવસ્ત્રો અને લવલીના બોરગોહેનના બોક્સિંગ મોજા (1 રૂપિયા) 91 લાખ) નોંધપાત્ર રહ્યાં હતા.
ઇ-હરાજીના આ રાઉન્ડની મુખ્ય વસ્તુઓમાં મેડલ વિજેતા ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ અને ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સના યાદગાર વસ્તુઓનો સમાવેશ થાય છે.
ઈ-હરાજીમાં 1348 સ્મૃતિચિહ્ન મૂકવામાં આવ્યા હતા અને લગભગ 8600 બોલીઓ પ્રાપ્ત થઈ હતી. મોદીની પ્રસ્તુત ભેટો અને સ્મૃતિચિહ્નોની ઇ-હરાજીનો આ ત્રીજો રાઉન્ડ 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન યોજાયો હતો. ઈ-હરાજીની રકમ નમામી ગંગે મિશનમાં જશે.
છેલ્લે આવી હરાજી સપ્ટેમ્બર 2019 માં 2,770 વસ્તુઓની યોજાઈ હતી. જેમાં ચિત્રો, શિલ્પો, શાલ, જેકેટ અને પરંપરાગત સંગીતનાં સાધનોનો સમાવેશ થાય છે. આ રકમ નમામી ગંગે મિશનમાં જ દાનમાં આપવામાં આવી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
