આનંદો! એક્સપ્રેસ ટ્રેનના ભાડા પર રાજધાની ટ્રેનની સફર, 1 એપ્રિલથી
ટ્રેનમાં મુસાફરી કરતા તમામ યાત્રીઓ માટે રેલવે પ્રશાસન લાવી છે એક સાચા સમાચાર. જેને વિગતવાર વાંચો અહીં...
ઉનાળાના વેકેશન પહેલા જ રેલવે દ્વારા તેના યાત્રીઓ માટે એક ખાસ સુવિધા ચાલુ કરવાનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. તો જો તમે 1 એપ્રિલ પછી રેલવેની મુસાફરી કરવાનો છો તો આ સમાચાર તમારા કામના છે. પ્રાપ્ત માહિતી મુજબ મેલ અથવા તો એક્સપ્રેસ ટ્રેન ટિકિટ બુક કરાવીને તે રાજધાની કે શતાબ્દી ટ્રેનની મુસાફરીની મજા માણી શકો છો. 1 એપ્રિલથી લાગુ થતી આ સુવિધામાં જો તમારું નામ વેટિંગ લિસ્ટમાં લાંબા સમયથી હશે તો તમને રાજધાની કે શતાબ્દી જેવી ટ્રેનોમાં સફર કરવાનો મોકો મળી શકે છે. પણ તે સુવિધા લેવા માટે તમારે ટિકિટ બુક કરાવતી વખતે વિકલ્પ નામના ઓપશનને ક્લિક કરાવું રહેશે. જેથી વેટિંગ લિસ્ટના યાત્રીઓને અન્ય વૈકલ્પિક ટ્રેનોની કંન્ફર્મ ટિકિટ મળી શકે.

સૌથી સારી વાત તો એ છે કે આ સુવિધા માટે પ્રવાસી પાસેથી કોઈ એક્સ્ટ્રા ચાર્જ પણ લેવામાં નહીં આવે. તેમજ ભાડાંના ફરક માટે કોઈ રીફંડ પણ આપવામાં નહીં આવે. 1 એપ્રિલથી રેલવે દ્વારા ચાલુ કરવામાં આવી રહેલી આ વિકલ્પ નામની યોજના હેઠળ તમામ મુખ્ય માર્ગે પર ચાલતી રાજધાની, શતાબ્દી, દુરંતો જેવી અને અન્ય ખાસ સેવા ટ્રેનોની ખાલી બેઠકોને ભરવામાં આવશે.

નોંધનીય છે કે દર વર્ષે રેલવે દ્વારા રિફંડ પેટે મુસાફરોને રૂ. 7500 કરોડ પરત આપવામાં આવે છે. જ્યારે અનેક વ્યસ્ત રૂટ્સ પર પણ અનેક ટ્રેનોમાં બર્થ ખાલી રહે છે. તે જોતા રેલવે મંત્રાલય દ્વારા આ અનોખી યોજનાને અમલમાં મૂકવાની પહેલ કરવામાં આવી છે. જો કે હાલ તો રેલવે 1 નવેમ્બર સુધી આ યોજનાને 6 રૂટ પર પાયલોટ આધારે શરૂ કરશે. વધુમાં આ સુવિધા માત્ર ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર યાત્રીઓને જ આપવામાં આવી રહી છે. પરંતુ ટૂંક સમયમાં બુકિંગ કાઉન્ટર પર ટિકિટ બુક કરાવતી વખતે પણ આ સુવિધા મળશે
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
