For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથે માંગ્યા અંગત સચિવ, પીએમઓએ લગાવી રોક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 જૂનઃ નરેન્દ્ર મોદી સરકારમાં ત્રણ મંત્રીઓના અંગત સચિવોની નિયુક્તિ પર પીએમઓએ રોક લગાવી દીધી છે. પીએમઓએ ગૃહમંત્રી રાજનાથ સિંહ ઉપરાંત રાજ્યમંત્રી વીકે સિંહ અને કિરન રિજેજુના અંગત સચિવોની નિયુક્તિને હરી ઝંડી આપી નથી.

rajnath-singh-minister
પીએમઓએ આલોક સિંહને રાજનાથના અંગત સચિવ બનાવવા પર રોક લગાવી છે. આલોક આ પહેલા યુપીએ સરકારમાં વિદેશમંત્રી સલમાન ખુર્શિદના અંગત સચિવ હતા. જણાવવામાં આવી રહ્યું છેકે, પીએમઓ આલોકની ગત પોસ્ટિંગથી ખુશ નહોતું. માનવામાં એ પણ આવી રહ્યું છેકે પીએમઓ એ તમામ મંત્રીઓ સાથે આ જ પ્રકારનું વલણ અપનાવી શકે છે, જેમના અંગત સચિવ ગત સરકારમાં મંત્રીઓને અંગત સચિવ રહ્યાં છે.

પીએમઓએ પૂર્વોત્તર મામલાના રાજ્યમંત્રી વીકે સિંહ અને ગૃહ રાજ્યમંત્રી કિરેન રિજેજુના અંગત સચિવોની નિયુક્તિ પર પણ રોક લગાવી દીધી છે. સૂત્રો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો છેકે જૂની સરકારમાં મંત્રીઓના અંગત સચિવ અને ઓએસડીને નવી સરકારમાં રાખવામાં નહીં આવે. જોકે, આ અંગે સરકાર તરફથી કોઇ લેખિત આદેશ જારી કરવામાં આવ્યો નથી. મોદી સરકારમાં ઓછામાં ઓછા આઠ મંત્રી એવા છે, જેમણે આવા જ અધિકારીઓને પોતાના અંગત સચિવ રાખ્યા છે.

English summary
The appointment of Private Secretaries to three Union Minister including Home Minister Rajnath Singh has been put on hold, according to official sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X