અયોધ્યામાં સરકારે મંદિર સ્થળથી 15 કિમી દૂર મસ્જિદ માટે આ 5 સ્થાનોની પસંદગી કરી
અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મસ્જિદ બનાવવા માટેની જમીનની ઓળખ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે મસ્જિદના નિર્માણ માટે અયોધ્યાના કોઈ મહત્વન
અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મસ્જિદ બનાવવા માટેની જમીનની ઓળખ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે મસ્જિદના નિર્માણ માટે અયોધ્યાના કોઈ મહત્વના સ્થળને જમીન ફાળવી દેવી જોઈએ. જે પછી, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, વહીવટીતંત્રે મસ્જિદ માટે પાંચ જમીનોની ઓળખ કરી છે. આ પાંચ પ્લોટની ઓળખ મિર્ઝાપુર, શમશુદ્દીનપુર અને ચાંદપુર ખાતે કરવામાં આવી છે જે મસ્જિદ બાંધકામ માટે આપી શકાય છે. આ તમામ જગ્યાઓ પંચકોસી પરિક્રમા સ્થળની બહાર છે. મળતી માહિતી મુજબ આ સ્થળો મંદિર નિર્માણ સ્થળથી આશરે 15 કિલોમીટર દૂર છે.

મળતી માહિતી મુજબ સરકાર આ પ્લોટ સુન્ની વક્ફ બોર્ડને આપવાનો પ્રસ્તાવ આપી શકે છે. મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટી મંડળની રચના બાદ આ જમીન વકફ બોર્ડ સમક્ષ પ્રસ્તાવિત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરના રોજ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન સુન્ની વકફ બોર્ડને આપવી જોઈએ. આ ભૂમિ અયોધ્યાની અંદર કોઈ મહત્વપૂર્ણ જગ્યાએ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે ત્રણ મહિનામાં મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના થવી જોઈએ.
આ પણ વાંચો: પીએમ હાઉસમાં નહિ, પરિસરમાં જ આવેલ એસપીજીના રિસેપ્શનમાં લાગી આગ
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
