કેન્દ્ર સરકાર LGBTQIA+ સમુદાયના મુદ્દાઓ માટે સમિતિની રચના કરશે, કેન્દ્રીય કેબિનેટ સચિવ કરશે નેતૃત્વ
કેન્દ્ર સરકાર LGBTQIA+ સમુદાય દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ પર ધ્યાન આપવા માટે કેન્દ્રીય કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવા સંમત થઈ છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચે બુધવારના રોજ સમલૈંગિક લગ્ન સાથે જોડાયેલી અરજી પર સુનાવણી કરી છે.

આ દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ SCને જાણ કરી હતી કે, સમલૈંગિક યુગલો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓની તપાસ કરવા માટે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. તુષાર મહેતા કહે છે કે, અરજદારો સૂચનો આપી શકે છે, જેથી કમિટી તેના પર કામ કરી શકે.
ઉલ્લેખનીય છે કે, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ હિમા કોહલીની પાંચ સભ્યોની બંધારણીય બેચે અરજીઓ પર દલીલો સાંભળી રહી છે, જેમાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની વિનંતી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
