મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા યથાવત, હવે એનસીપીને સરકાર બનાવવા રાજ્યપાલનું આમંત્રણ
મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા યથાવત, હવે એનસીપીને સરકાર બનાવવા રાજ્યપાલનું આમંત્રણ
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામા ચરમ સીમા પર પહોંચી ચૂક્યો છે. મહારાષ્ટરમાં વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે ભાજપ, શિવસેના, એનસીપી, કોંગ્રેસ વચ્ચે તોડજોડની રાજનીતિ ચાલી રહી છે. જ્યારે રાજ્યપાલે આજે શિવસેનાને મોટો ઝાટકો આપતા તેમને સમય આપવાનો ઈનકાર કરી દીધો છે. જ્યારે રાજ્યપાલે શિવસેના બાદ એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા છે.

રાજ્યપાલના આમંત્રણ પર એનસીપી નેતા અજિત પવાર રાજભવન પહોંચ્યા. અજિત પવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સાડા આઠ વાગ્યે રાજ્યપાલ તરફથી સૂચના આપી દેવામાં આવી કે રાજભવન આવી મુલાકાત કરે જે બાદ અજિત પવાર અને છગન ભુજબળ, જયંત પાટિલ સાથે રાજભવન મળવા પહોંચ્યા. તેમણે કહ્યું કે તેમને શા માટે બોલાવ્યા તે અંગે તેમને કંઈ માહિતી નથી, પરંતુ રાજ્યપાલ એક સન્માનિત અને મહત્વપૂર્ણ વ્યક્તિ છે માટે અમે તેમને મળવા જઈ રહ્યા છીએ।
જ્યારે એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે કોઈ પર્યાય સરકાર બનાવવા માટે અમે કોંગ્રેસ સાથે બેઠક રીશું, આ પહેલાથી નક્કી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે પણ કહ્યું છે કે અમે પવાર સાહેબ સાથે નિર્ણય કર્યા પછી જ કોઈ ફેસલા પર આવીશું. તેમણે કહ્યું કે અમારી પાસે રાજ્યપાલ તરફતી સૂચના આવી હતી, જે બાદ અમારા શિષ્યમંડળ રાજ્યપાલને મળવા ગયા છે જે પત્ર ગવર્નર આપશે તે હિસાબે અમે કોંગ્રેસ સાથે ચર્ચા કરી કોઈપણ નિર્ણય કરીશું.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
