સરકાર રાજકીય પક્ષોને RTIમાંથી બહાર રાખવા વટહુકમ લાવશે
આ પહેલા કેન્દ્રીય માહિતી પંચ (સીઆઇસી)એ આદેશ આપ્યો હતો કે તમામ રાજકીય પક્ષો આરટીઆઇ કાયદા હેઠળ આવે છે. આ અંતર્ગત તેમણે ખર્ચ, મેળવેલા દાન અને ભંડોળ અને બેઠકો પર કરવામાં આવતા ખર્ચ અંગે લેખિત વિવરણ આપવું પડશે. આ બાબતનો કોંગ્રેસ, ભાજપ, સીપીઆઇ, એનસીપી, બીએસપી, સપા સહિત તમામ રાજકીય પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો. વળી, રાજકીય પક્ષોએ એવું પણ જણાવ્યું હતું કે સીઆઇસીએ પોતાની હદની બહાર આવીને નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે આરટીઆઇ મારફતે જ કોલસા કૌભાંડ અને મનરેગામાં ચાલતી ઉચાપતોની માહિતી મળી હતી. આમ છતાં રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. એક અંદાજ મુજબ દેશના ટોચની 10 રાજકીય પાર્ટીઓ પાસે ભંડોળ તરીકે દર વર્ષે અંદાજે સવા લાખ કરોડ રૂપિયા જેટલી રકમ આવે છે. પણ આ નાણા કોણ દાન કરે છે, જે લોકો ભંડોળ આપે છે તેમને ભંડોળના બદલામાં રાજકીય પક્ષો તરફથી શું લાભ મળે છે તે અંગેની કોઇ વિગત મળતી નથી.