For Daily Alerts
જેટલીની જાસૂસીમાં સરકારનો કોઈ હાથ નથી: શિંદે
શિંદેએ જણાવ્યું કે જેટલીના ફોન ટેપિંગ મામલાની સરકાર તપાસ કરાવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી બે કોન્સ્ટેબલ સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને હજી આ અંગેની તપાસ પોલીસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલીની જાસૂસીના મામલમાં અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ થઇ ચૂકી છે. આ કેસમાં સૌથી પહેલા દિલ્હી પોલીસના કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. એ કોન્સ્ટેબલે એસીપીનો ઇમેઇલ હેક કરીને મોબાઇલ કંપની પાસે અરૂણ જેટલીના કોલ રેકોર્ડની માંગ કરી હતી.
જેટલીના કોલ રેકોર્ડ સુધી પહુંચવાની કોશિશ દિલ્હી પોલીસના એક 23 વર્ષિય સિપાહી અરવિંદ ડબાસે કરી હતી. જોકે તે જેટલી અને ઉત્તરાખંડના એક નેતાની વચ્ચેનો સંપર્ક ચકાસવા માંગતો હતો. ઉત્તરાખંડના આ નેતાએ ઉત્તરાખંડમાં એક પ્રોપર્ટી ડીલનો મામલો જેટલી થકી સુલજાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
central government arun jaitley call detail home minister parliament bjp ભારતીય જનતા પાર્ટી અરૂણ જેટલી જાસૂસ રાજ્યસભા સુશીલ કુમાર શિંદે
English summary
Central Government is not involved in Arun Jaitley's call detail issue says Home minister in Parliament.
Story first published: Wednesday, February 27, 2013, 14:39 [IST]