મણિપુર હિંસાને લઇ સરકારે જારી કર્યા આદેશ, 5 જુલાઇ સુધી ઇન્ટરનેટ સેવા બંધ
મણિપુરમાં જાતિય હિંસા રોકવા માટે એન બિરેન સિંહ સરકારે ફરીથી પ્રતિબંધો વધાર્યા છે. રાજ્યના જિલ્લાઓમાં હવે 5 જુલાઈએ બપોરે 3 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ સીએમએ રાજીનામાના સમાચારને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં સ્થિતિ ગંભીર છે. આવી સ્થિતિમાં તેઓ રાજીનામું આપી શકે નહીં.
મણિપુરમાં જાતિય હિંસાને કારણે કાબૂ બહાર ગયેલી સ્થિતિ ફરી એકવાર વણસી ગઈ છે. આવી સ્થિતિમાં, સીએમ એન બિરેન સિંહ સરકારે શુક્રવારે રાજ્યના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં 5 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવા સંબંધિત આદેશ જારી કર્યો હતો.

રાજ્યમાં ખરાબ સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધીએ રાજ્યના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે વર્તમાન સરકાર પર સ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતા વેણુગોપાલે કહ્યું કે આપણે સંઘર્ષમાંથી શાંતિ તરફ આગળ વધી શકીએ છીએ. આ એક માનવીય દુર્ઘટના છે અને નફરત નહીં પરંતુ પ્રેમનું બળ બનવાની જવાબદારી આપણી છે.
રાજ્યમાં ખરાબ પરિસ્થિતિ વચ્ચે સીએમ એન બિરેન સિંહની સ્થિતિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. કેટલીક મહિલાઓનો પત્ર ફાડતો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં સીએમના રાજીનામાનો ખોટો દાવો કરવામાં આવ્યો હતો.
આવી સ્થિતિમાં સીએમ એન વિરેન સિંહે નિવેદન જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું, "આવી નાજુક પરિસ્થિતિમાં હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપીશ."
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
