LPG સ્ટૉક કરવો, સ્કૂલો ખાલી કરાવવાના આદેશથી કાશ્મીરમાં ગભરાટઃ ઉમર અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ કહ્યુ છે કે એલપીજી સ્ટૉક કરવા અને સ્કૂલોને ખાલી કરાવવા જેવા આદેશો પર સરકાર તરફથી સફાઈની જરૂર છે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ કહ્યુ છે કે એલપીજી સ્ટૉક કરવા અને સ્કૂલોને ખાલી કરાવવા જેવા આદેશો પર સરકાર તરફથી સફાઈની જરૂર છે. અબ્દુલ્લાએ કહ્યુ કે આ રીતના આદેશ ડરનો માહોલ પેદા કરે છે. લોકોમાં પોતાની સુરક્ષા માટે ગભરાટ પેદા થઈ રહ્યો છે કે છેવટે શું થવાનુ છે. ઉમરે પોતાના ટ્વિટમાં કહ્યુ કે સરકાર આ રીતના આદેશથી લોકોમાં ડર છે કે છેવટે શું થઈ રહ્યુ છે. સરકાર એક તરફ કહી રહી છે કે રસ્તો બંધ થઈ જવા અંગે આ આદેશ જારી કરવામાં આવ્યા છે પરંતુ સ્કૂલોને ખાલી કરાવવાનો નિર્ણય સમજની બહાર છે. ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે, સરકારે આ અંગે સ્પષ્ટ નિવેદન આપવુ જોઈએ કે છેવટે મુદ્દો શું છે.
જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ જી સી મૂર્મુએ 23 જૂને એક બેઠક કરી હતી. બેઠક બાદ આદેશમાં કહ્યુ છે કે કાશ્મીર ઘાટીાં એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સને ઓછામાં ઓછા બે મહિના માટે સિલિન્ડરનો સ્ટૉક રાખી લેવો જોઈએ. કહેવામાં આવ્યુ છે કે જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ ભૂસ્ખલનના કારણે ઘણીવાર બંધ થઈ જાય છે. એવામાં એલપીજીનો પૂરતો સ્ટૉક હોવો જોઈએ જે બે મહિના સુધી ચાલી શકે. જેથી સામાન્ય લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય. બીજા આદેશમાં કહેવામાં આવ્યુ છે કે કારગિલ પાસે ગાંદરબલ વિસ્તારમાં સુરક્ષાબળો માટે સ્કૂલની ઈમારતોને ખાલી કરાવવામાં આવે. ગાંદરબલ એસએસપીએ જિલ્લા પ્રશાસનને લખેલા એક પત્રમાં અર્ધસૈનિક બળોને રોકવા માટે આઈટીઆઈ, મધ્ય અને ઉચ્ચતર માધ્યમિકના ભવનો સહિત શૈક્ષણિક સંસ્થાઓના 16 ભવન ઉપલબ્ધ કરાવવાનો અનુરોધ કર્યો છે.
આ આદેશો બાદ ઘણા પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે. આનુ એક મોટુ કારણ એ પણ છે કે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે અમુક સમયથી તણાવ છે. 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં કર્નલ સહિત 20 ભારતીય જવાન શહીદ થયા હતા અને 70થી વધુ ઘાયલ થયા હતા. સતત ચીન અને ભારત વચ્ચે તણાવ ઘટાડવા વિશે વાતચીત ચાલી રહી છે. જો કે તણાવ ઘટતો હજુ સુધી દેખાઈ નથી રહ્યો.
Government orders are creating panic in Kashmir & unfortunately after all the lies & false assurances last year even if/when the government explains these orders hardly any of us will take the assurances at face value. That said they still need to explain these orders. https://t.co/16mteocYAO
— Omar Abdullah (@OmarAbdullah) June 28, 2020
ચીન મુદ્દે ભાજપ સાથે ઉભી છે બસપાઃ માયાવતી