શું ગુમનામી બાબા જ હતા સુભાષ ચંદ્ર બોઝ?
લખનઉ, 15 માર્ચઃ આઝાદ હિન્દ ફોજના સંસ્થાપક અને આઝાદીની લડાઇ લડનારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 'ગુમનામી બાબા'ના રૂપમાં ઓળખ અને તેમના મોત અંગે ફેલાયેલા ભ્રમને દૂર કરવા માટે યુપી સરકાર અંગે ટૂકમા જ સકારાત્મક પગલું ભરવાની છે. સરકારના આ પ્રશ્નનો ઉકેલ શોધાશે કે શું ગુમનામી બાબા જ સુભાષ ચંદ્ર બોઝ હતા.
સરકાર તરફથી રાજસ્વ મંત્રી અંમિકા ચૌધરીએ નેતાઝી સુભાષ ચંદ્ર બોઝ પ્રત્યે સમ્માન વ્યક્ત કરતા કહ્યું કે તેમનું યોગદાનનું મુલ્યાંકન કરી શકાય તેમ નથી. તેમણે કોંગ્રેસ પર પરોક્ષ આરોપ લગાવતા કહ્યું કે આયોગની રચના ઉપરાંત એ પણ વિચારવામા આવશે કે આખરે આટલા વર્ષોમાં તેમને લઇને ફેલાયેલા ભ્રમને કયા લોકોના ઇશારાથી દૂર કરવામાં આવ્યું નથી. તે જીવત હોત અને ઓળખ થઇ શકી હોત તો ઘણા લોકોના નામ ખુલવાનો ડર હતો.

કોંગ્રેસના રાયબરેલી સદરના ધારાસભ્ય અખિલેશ પ્રતાપ સિંહે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 'ગુમનામી બાબા'ના સ્વરૂપમાં ઓળખ અને તેમની મોત અંગે ફેલાયેલા ભ્રમને દૂર કરવા માટે હાઇકોર્ટના નિર્દેશનું પાલન કરવાની પ્રદેશ સરકાર સમક્ષ માંગ કરી. તેમણે કહ્યું કે કોર્ટે તેની ભાળ મેળવવા માટે ત્રણ માહિનાની અંદર આયોગની રચનાના આદેશ આપ્યા છે, જ્યારે દોઢ મહિના વીતી ચૂક્યા છે.
અખિલેશ પ્રતાપ સિંહે કહ્યું કે, 'ગુમનામી બાબા'ને મળવા તેમના ભાઇ સુરેશ ચંદ્ર બોઝ, ભત્રીજી લલિતા બોઝ, ગુરુ ગોલવલકર વગેરે જતા હતા. તેમણે જણાવ્યું કે તાઇવાને સ્પષ્ટ કર્યું કે 1945માં કોઇ એર ક્રેશ તેમના દેશમાં નહોતું થયું. તેમણે જણાવ્યું કે ગુરુ ગોલવલકરનો એક પત્ર 'ગુમનામી બાબા' પાસે મળ્યો હતો, જેમાં તેમને સાચા રૂપમાં પરત ફરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ ધારાસભ્ય અનુગ્રહ નારાયણે પણ નેતાજીના યોગદાનના વખાણ કરતા દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની વાત કરી. કોંગ્રેસ વિધાનમંડળ દળના નેતા પ્રદીપ માથુરે કહ્યું કે તેમણે દેશ માટે બધું જ અર્પિત કરી દીધું. તેમણે દેશ જ નહીં વરન વિશ્વ માટે પણ પથ પ્રદર્શકનું કાર્ય કર્યું. તેમની સાચી વાત આજના લોકને જણાવવી એ આપણું કર્તવ્ય છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
