મણિપુરમાં મંત્રીના ઘરે ગ્રેનેડથી હુમલો

હોકિપે જણાવ્યું કે પોલીસના બોમ્બ વિશેષજ્ઞોએ ગ્રેનેડને નિવાસ સ્થાનમાંથી દૂર કર્યો હતો. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આકરી સુરક્ષા વ્યવસ્થાવાળા વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ શા માટે વિસ્ફોટકો સાથે ફરી રહેલા ઉદ્રવાદીઓની ગતિવિધિઓ જાણી શક્યા ન હતા.
મંત્રીએ એમ પણ જણાવ્યું કે ગ્રેનેડની પિન તેમના ઘરની બાઉન્ડ્રી વોલની બહારથી મળી હતી. ગ્રેનેડ તેમના ઘરના શયનકક્ષમાં આવીને પડ્યો હતો. તેમણે જણાવ્યું કે કેટલાક કુકી ઉગ્રવાદીઓએ થોડા સમય પહેલા તેમની પાસેથી નાણાની માંગણી કરી હતી. સાથે આમ કરવામાં નહી આવે તો ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ધમકી પણ આપી હતી.
આ દરમિયાન નવરચિત કુકુ નેશનલ ફ્રન્ટ - એન (કેએનએફ-એન) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. કેએનએફ-એનના પ્રચાર સચિવ ગો વાઇફીએ સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મંત્રીના આવસમાં ગ્રેનેડ હુમલા માટે તેઓ જ જવાબદાર છે. વાઇફીએ જણાવ્યું કે સંગઠને પાર્ટી ફંડ માટે મંત્રી પાસે ધનની માંગણી કરી હતી.












Click it and Unblock the Notifications
