ગુજરાતમાં બનશે નેશનલ સિક્યુરિટી ગાર્ડનું પ્રાદેશિક કેન્દ્ર
નવી દિલ્હી, 15 જુલાઇ : કેન્દ્ર સરકારે ગુજરાતમાં રાષ્ટ્રીય સુરક્ષા દળ (નેશનલ સિક્યુરિટી ગાર્ડ - NSG)નું પ્રાદેશિક કેન્દ્ર સ્થાપનાની દરખાસ્ત સૈદ્ધાંતિક સ્તરની મંજૂરી માટે મોકલી આપી છે. આ બાબતની માહિતી આજે લોકસભામાં ગૃહ બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન કિરણ રિજ્જુએ આપી હતી.
આ અંગેના એક લેખિત જવાબમાં રિજ્જુએ લખ્યું હતું કે 'નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) દ્વારા જે સ્થળ યોગ્ય લાગશે ત્યાં પ્રાદેશિક કેન્દ્ર સ્થાપવામાં આવશે. આ હેતુ માટે ગુજરાત સરકારે બે સ્થળોએ જમીન આપવાની રજૂઆત કરી છે. એનએસજીની ટીમે બંને સ્થળોની મુલાકાત લીધી છે અને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા દર્શાવવામાં આવેલી જમીન અનુકૂળ છે કે નહીં તે ચકાસવામાં આવશે.'

રિજ્જુએ જણાવ્યું કે ગુજરાત સરકાર એનએસજીના પ્રાદેશિક કેન્દ્રની સ્થાપના માટે નિ:શુલ્ક જમીન પ્રદાન કરવાની તૈયારી દર્શાવી રહી છે ત્યારે આ બાબતને સૈદ્ધાંતિક મંજૂરી મળે તે માટે સરકાર તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છે.
તેમણે જણાવ્યું કે સરકાર અત્યાર સુધીમાં ચાર પ્રાદેશિક એનએસજી કેન્દ્રો સ્થાપી ચૂકી છે. જેમાં તમિલનાડુમાં ચેન્નઇ ખાતે, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હૈદરાબાદ ખાતે, પશ્ચિમ બંગાળમાં કોલકત્તા ખાતે અને મહારાષ્ટ્રમાં મુંબઇ ખાતે કેન્દ્રો આવેલા છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
