રામ રહીમે જેલરને કહ્યું, ખેતીવાડી કરવી છે, પેરોલ આપો
યૌન શોષણ મામલે દોષી જાહેર થયેલા સ્વયંભૂ ધર્મગુરુ ગુરમીત રામ રહીમે પેરોલ માટે અરજી લગાવી. ગુરમીત રામ રહીમે પોતાની અરજીમાં કૃષિ કામ માટે પેરોલ અરજી લગાવી છે.
યૌન શોષણ મામલે દોષી જાહેર થયેલા સ્વયંભૂ ધર્મગુરુ ગુરમીત રામ રહીમે પેરોલ માટે અરજી લગાવી. ગુરમીત રામ રહીમે પોતાની અરજીમાં કૃષિ કામ માટે પેરોલ અરજી લગાવી છે. તેની સાથે સાથે તેમને એવું પણ કહ્યું છે કે તેમને ફસાવવામાં આવ્યા છે અને જેલમાં તેમનો વ્યવહાર ઘણો સારો પણ રહ્યો છે. એટલા માટે તેમને પેરોલ આપવી જોઈએ.
આ પણ વાંચો: રામ રહીમનો ભાગવાનો કોડવર્ડ હતો "રેડ બેગ", જાણો વધુ

ખેતીવાડી કરવી છે, પેરોલ આપો
ગુરમીત રામ રહીમે જેલર સામે આ આવેદન કર્યું છે. ત્યારપછી સિરસા પ્રશાશન આ મામલે જોઈ રહ્યું છે કે તેમને પેરોલ આપવી જોઈએ કે નહીં. ગુરમીત રામ રહીમ હાલમાં જેલમાં 23 મહિલા જેટલો સમય ગુજારી ચુક્યા છે. જેલ પ્રશાશન ઘ્વારા તેમની અરજી સિરસા ડેપ્યુટી કમિશ્નર પાસે મોકલી આપી છે. આપને જણાવી દઈએ કે આશ્રમની જ 2 મહિલાઓ ઘ્વારા રામ રહીમ પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

આજીવન કેદની સજા
આ મામલે કોર્ટ ઘ્વારા ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા પણ થઇ ચુકી છે. જે મહિલાઓ ઘ્વારા બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે તેઓ આશ્રમમાં અનુયાયી તરીકે રહેતી હતી. ડેરા સચ્ચા સૌદા પ્રમુખ વિરુદ્ધ બળાત્કારનો પહેલો મામલો વર્ષ 2002 દરમિયાન સામે આવ્યો હતો. જયારે એક સાધ્વીએ તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે ગુરમીત રામ રહીમ ઘણા લોકોનું યૌનશોષણ કરી રહ્યા છે.

હત્યાનો આરોપ પણ લાગ્યો
બળાત્કારના દોષી હોવાની સાથે ગુરમીત રામ રહીમ પર એક પત્રકાર રામ ચંદર છત્રપતિની હત્યાનો આરોપ પણ લાગ્યો. જેમાં અદાલતે તેમને જાન્યુઆરી 2019 દરમિયાન દોષી ગણાવ્યા. આ મામલે સીબીઆઈ વિશેષ અદાલતે રામ રહીમ સહીત ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા આપી.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
