Video: કાબુલથી લાવવામાં આવ્યા ગુરુ ગ્રંથ સાહિબના ત્રણ સ્વરૂપ, રિસીવ કરવા પહોંચ્યા બે કેન્દ્રીય મંત્રી
મંગળવારે પણ 78 લોકોનુ એક દળ ભારત પહોંચ્યુ. આમાં 44 અફઘાન સિખ શામેલ હતા જે પોતાની સાથે સિખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબના ત્રણ સ્વરૂપને લઈને આવ્યા છે.
નવી દિલ્લીઃ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટેનો સિલસિલો ચાલુ છે. તાલિબાનના ડરથી અત્યાર સુધી 400થી વધુ લોકોને ભારત લાવવામાં આવી ચૂક્યા છે. મંગળવારે પણ 78 લોકોનુ એક દળ ભારત પહોંચ્યુ. આમાં 44 અફઘાન સિખ શામેલ હતા જે પોતાની સાથે સિખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબના ત્રણ સ્વરૂપને લઈને આવ્યા છે. આ દળ કાબુલથી દુશાંબે પહોંચ્યુ હતુ ત્યારબાદ દુશાંબેથી તેમને ભારત લાવવામાં આવ્યા. મંગળવારે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી આ દળને રિસીવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યા અને હરદીપ પુરી શ્રી ગુરુ ગ્રંથ સાહિબની ત્રણ પ્રતીઓને એરપોર્ટથી બહાર લઈને આવ્યા.
હરદીપ પુરી સાથે આ નેતાઓ પણ રહ્યા હાજર
દિલ્લી ઈન્ટરનેશન એરપોર્ટ પર હરદીપ સિંહ પુરી સાથે-સાથે રાજ્યમંત્રી વી મુરલીધરન અને ભાજપ નેતા આરપી સિંહ પણ હાજર રહ્યા. આ ત્રણ નેતાઓએ કાબુલથી લાવવામાં આવેલ શ્રી ગુરુ ગ્રંથ સાહિબને રિસીવ કર્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે હરદીપ સિંહ પુરી, વી મુરલીધરન અને આરપી સિંહ ત્રણેએ ગુરુ ગ્રંથ સાહિબની પ્રતીઓને માથા પર રાખેલી છે અને સતનામ શ્રી વાહેગુરુના ઘોષ સાથે આ બધા એરપોર્ટથી બહાર આવતા દેખાઈ રહ્યા છે.
અફઘાનમાં રહેતા ભાઈઓને પણ જલ્દી બહાર લાવવામાં આવશે - હરદીપ સિંહ પુરી
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યુ કે પીએમ મોદીનો આભાર માનવા માંગુ છુ, જેમણે આપણા ભાઈઓને અફઘાનિસ્તાનથી લાવવા માટે રેસ્ક્યુ ઑપરેશનને અંજામ આપવાનુ સંભવ બનાવ્યુ. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે મોટાભાગના ભારતીયો અને અફગાન સિખોને ત્યાંથી લાવવામાં આવી ચૂક્યા છે અને બાકીના જે રહી ગયા છે તેમને પણ ત્યાંથી કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે સતત તેમના સંપર્કમાં છે. હરદીપ સિંહ પુરીએ આ દરમિયાન વિદેશ મંત્રાલય, વિદેશ મંત્રી એસ જયશંકર અને વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરણનેો પણ આભાર માન્યો. તમને જણાવી દઈએ કે કાબુલમાં ફસાયેલા 78 લોકોને એર ઈન્ડિયાના વિશેષ વિમાન દ્વારા પહેલા તઝાકિસ્તાનના દુશાંબે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને ત્યાંથી આજે દિલ્લી લાવવામાં આવ્યા.
#WATCH | Union Minister Hardeep Singh Puri brings three swaroops of Sri Guru Granth Sahib out of the Delhi airport.
— ANI (@ANI) August 24, 2021
The three Guru Granth Sahib have been brought on a flight from Kabul, Afghanistan.
(Video Source: Union Minister Hardeep Singh Puri) pic.twitter.com/HrFVlRdael