હરિયાણાની જનતાને મનિષ સિસોદિયાએ આપી ગેરેન્ટી, કહ્યું- ઝાડુનું બટન દબાવો, 24 કલાકમાં...
Haryana assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે 5 ઓક્ટોબરના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી પ્રચાર કરવા માટે રાજકીય પક્ષો પાસે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો મોટા મોટા વાયદાઓ અને દાવાઓ કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટી હરિયાણામાં તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ સાથે સરકાર બનાવવામાં આમ આદમી પાર્ટીની મહત્વની ભૂમિકા રહેશે તેવો દાવો પણ કરી રહી છે.
ચૂંટણી પ્રચાર કરવા માટે આમ આદમી પાર્ટીએ તેના દિગ્ગજ નેતાઓને હરિયાણામાં મોકલ્યા છે. જેમાં અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા, સંજય સિંહ અને રાઘવ ચડ્ડાનો સમાવેશ થાય છે. આ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હરિયાણામાં સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ નારનૌદમાં એક રેલીનું આયોજન કર્યું હતું. નારનૌંદ વિધાનસભા ક્ષેત્ર ખૂબ મોટો છે.

આ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીએ રણબીર સિંહ લોહાનને ટિકિટ આપી છે. જ્યારે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી કેપ્ટન અભિમન્યુ અને કોંગ્રેસના જસબીર સિંહ ચૂંટણી લડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કેપ્ટન અભિમન્યુ બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. દેવીલાલ પરિવારનો ગઢ ગણાતી આ બેઠક ભાજપ-કોંગ્રેસ અને AAP માટે જીતવી એક પડકાર છે.
આ રેલીમાં સંબોધતા મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, કોઈ 24 કલાક વીજળીની ગેરંટી નથી આપતું, પરંતુ અરવિંદ કેજરીવાલજી આ ગેરંટી આપે છે કે, ઝાડુંનું બટન દબાવો, 24 કલાક વધુ મફત વીજળી મેળવો.
આ રેલીને સંબોધતા મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, જો હરિયાણામાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, તો 24 કલાકમાં તમને મફત વીજળી મળશે.
આ જાદુ કેવી રીતે કરવો, તે ફક્ત હરિયાણાના લાલ અરવિંદ કેજરીવાલ જ જાણે છે, તે ભાજપ-કોંગ્રેસના હાથની વાત નથી.
મનિષ સિસોદિયાએ વચન આપતા જણાવ્યું હતું કે, જ્યારે કોઈ બીમાર પડે છે, ત્યારે પરિવારના સભ્યોને ચિંતા થાય છે કે, કેટલી વીઘા જમીન વેચાશે, પત્નીના ઘરેણાં વેચાશે કે કેમ, પરંતુ દિલ્હીની હોસ્પિટલોમાં ખાનગી હોસ્પિટલો કરતાં સારી સારવાર મળે છે.
મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, આજે હરિયાણાના લાખો લોકો દિલ્હીમાં પણ સારી સારવાર સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. હરિયાણામાં પણ આ ચમત્કાર થઈ શકે છે, આ માટે તમારે ફક્ત ઝાડુંનું બટન દબાવવું પડશે.
आज नारनौंद की जनता के बीच रोडशो। https://t.co/BCS3sCmkWU
— Manish Sisodia (@msisodia) October 1, 2024
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
