Haryana Election Result : માત્ર 1 ટકા મતોના ફેરફારે હરિયાણાના સંપુર્ણ સમીકરણ કેવી રીતે બદલાયા? જાણો વિગતે
Haryana Assembly Election Result 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીઓના પરિણામે કોંગ્રેસ પાર્ટી સાથે સાથે રાજકિય વિશ્લેષકોને પણ મોટો જાટકો આપ્યો છે.
હરિયાણામાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી અને માત્ર 1 ટકા મતના ફેરફાર સાથે કોંગ્રેસ સત્તામાં આવવાથી અટકી ગઈ.

અહીં બીજેપીને 48 અને કોંગ્રેસને 37 સીટો મળી છે. ચૌકાવનારી બાબત એ છે હરિયાણા સરકારના 9 મંત્રીઓ અને સ્પીકરને હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય ગઈ ચૂંટણીમાં કિંગમેકર રહેલી જેજેપી ખાતુ પણ ખોલાવી શકી નથી.
હરિયાણામાં બીજેપીને 39.94 ટકા વોટ મળ્યા છે તો કોંગ્રેસને 39.09 ટકા મત મળ્યા. બન્ને વચ્ચે માત્ર 0.85 ટકા મતનો જ તફાવત છે.
રાજ્યના 55 લાખ 48 હજાર 800થી વધુ લોકોએ ભાજપને અને 54 લાખ 30 હજાર 600થી વધુ લોકોએ કોંગ્રેસને વોટ આપ્યા. બંનેને મળેલા કુલ મતોમાં 1 લાખ 18 હજાર મતનો જ તફાવત છે.
દિલ્હી અને પંજાબ બાદ હરિયાણામાં સરકાર બનાવવાનો દાવો કરનારી આમ આદમી પાર્ટી પણ ખાતુ ખોલાવી શકી નથી. આમ આદમી પાર્ટીને માત્ર 1.79 ટકા મત મળ્યા.
આ સિવાય ઇન્ડિયન નેશનલ લોકદળ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડનાર બસપાને 1.82 ટકા વોટ, સીપીઆઈને 0.01 ટકા, સીપીઆઈ (એમ)ને 0.25 ટકા, ઈન્ડિયન નેશનલ લોકદળને 4.14 ટકા, જેજેપીને 0.90 ટકા, નોટાને 0.38 ટકા અને અપક્ષોને 11.64 ટકા વોટ મળ્યા.
આ ચૂંટણીમાં સૌથી ચૌકાવનારા પરિણામો દુષ્યંત ચૌટાલા માટે રહ્યાં. એક રીતે કહી શકાય કે આ ચૂંટણી ચૌટાલા રાજનીતિનો અંત બનીને આવી છે. દુષ્યંત ચૌટાલા ખુદ ખરાબ રીતે હાર્યા અને માત્ર 7950 મત જ મળ્યા. તે બીજેપી સામે 41018 મતોથી ખરાબ રીતે હાર્યા.
રાજ્યમાં કોંગ્રેસને મતની ટકાવારી અને સીટો બન્નેમાં વધારો થયો છે. જો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયુ હોત તો પણ ચિત્ર અલગ હોત. આમ એક ટકા મત કોંગ્રેસ માટે વધુ 5 વર્ષના સત્તાના વનવાસનું કારણ બન્યા છે.
-
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?





Click it and Unblock the Notifications
