Haryana Exit Poll : બીજેપીને એક્ઝિટ પોલમાં વિશ્વાસ નથી, જાણો શું કહ્યું?
Haryana Assembly Election 2024 : હરિયાણામાં વિધાનસભા ચૂંટણી બાદ સામે આવેલા એક્ઝિટ પોલે બીજેપીની ઉંઘ હરામ કરી દીધી છે.
જો કે બીજેપીને આ એક્ઝિટ પોલમાં વિશ્વાસ નથી અને દાવો કરી રહી છે કે 8 ઓક્ટોબરના રિઝલ્ટમાં બીજેપી જીતશે.

એક્ઝિટ પોલ બાદ પંચકુલામાં મીડિયા સાથે વાત કરતા હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ આ વાતને દોહરાવી અને કહ્યું કે હરિયાણામાં ફરીથી બીજેપી સરકાર બનાવશે.
હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, મારી પાસે આ રિપોર્ટ છે, 8 ઓક્ટોબરે ભાજપ હરિયાણામાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે. તેમણે કહ્યું કે 8મીએ જનતા જવાબ આપશે અને કોંગ્રેસ કહેશે કે EVM ખરાબ છે.
નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, હું હરિયાણાના 2 કરોડ 80 લાખ લોકોનો સામાજિક સદભાવ અને ભાઈચારો જાળવીને સફળ ચૂંટણી બદલ આભાર માનું છું. હું તમામ અધિકારીઓ અને લોકોનો આભાર માનું છું જેમણે લોકશાહીના આ તહેવારને શક્ય બનાવ્યું. હું હરિયાણા પોલીસ અને અર્ધલશ્કરી દળોનો આભાર માનું છું.
આ સિવાય એક્ઝિટ પોલ પર અંબાલા કેન્ટ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને સીએમ પદના દાવેદાર અનિલ વિજે કહ્યું કે, ચૂંટણી લોકશાહીનો સૌથી મોટો તહેવાર છે. અમે અહીંથી મોટા માર્જિનથી જીતી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે, ભૂપિન્દર સિંહ હુડ્ડાના મતવિસ્તારમાં મત ટકાવારી 5% ઘટી છે, મારા મતવિસ્તારમાં તે 3% વધી છે, તેનો અર્થ એ છે કે કોંગ્રેસ માટે લોકોનું આકર્ષણ ઘટ્યું છે. અમે અમારા આંતરિક સર્વે પછી વાત કરીશું.












Click it and Unblock the Notifications
