હરિયાણા સરકારે કર્યા IG ભારતી અરોરાના VRS મંજૂર, હવે કૃષ્ણભક્તિમાં જીવન વિતાવશે
અંબાલા રેન્જના આઈજી ભારતી અરોરાએ 'મીરાબાઈ' તરફ કૃષ્ણભક્તિમાં લીન થવા માટે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હતી. ભારતી અરોરાની અરજી પર હરિયાણા સરકારે મંજૂરી આપી દીધી છે.
ચંદીગઢ : અંબાલા રેન્જના આઈજી ભારતી અરોરાએ 'મીરાબાઈ' તરફ કૃષ્ણભક્તિમાં લીન થવા માટે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હતી. ભારતી અરોરાની અરજી પર હરિયાણા સરકારે મંજૂરી આપી દીધી છે. CM મનોહર લાલ ખટ્ટરે IGની VRSની અરજી પર હસ્તાક્ષર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતી અરોરા હવે 01 ડિસેમ્બર, 2021 સુધી પોતાની સેવાઓ આપશે. જે બાદ તેમને પોતાનું બાકીનું જીવન ભગવાન કૃષ્ણની સેવામાં વિતાવશે.
અનિલ વિજે ફાઈલ પરત કરી હતી
ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટના રોજ હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે IG ભારતી અરોરાની VRS માંગતી ફાઇલ પરત કરી હતી. તેણે કહ્યું હતું કે, ભારતી અરોરાએક સારા અધિકારી છે.
એટલું જ નહીં, તેમણે તે સમયે ગૃહ સચિવ રાજીવ અરોરાને પણ ભારતી અરોરાને VRS ન લેવા માટે વાત કરવા અને સમજાવવા માટેસૂચના આપી હતી. જો કે, હવે હરિયાણા સરકારે આઈજી ભારતી અરોરાની VRS સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કરીને તેમને VRS આપી દીધું છે.
આઈજી ભારતી અરોરાએ માંગ્યું હતું VRS
અંબાલા રેન્જના આઈજી ભારતી અરોરે 24 જુલાઈ, 2021ના રોજ હરિયાણા પોલીસના મહાનિર્દેશકને પત્ર લખીને VRS માટે પૂછ્યું હતું.
આ પત્રમાં IG ભારતીઅરોરાએ લખ્યું હતું કે, "પોલીસ સેવા તેમના માટે ગર્વ અને જુસ્સો છે, પરંતુ હવે તે આગળનું જીવન ધાર્મિક રીતે વિતાવવા માગે છે અને મીરાબાઈની જેમ શ્રી કૃષ્ણનીભક્તિમાં લીન થવા માગે છે.
જો કે, જો ભારતીએ VRS માટે અરજી ન કરી હોય, તો તેમની નિવૃત્તિ વર્ષ 2031માં થવાની હતી.
આઈજી ભારતી અરોરા કૃષ્ણ ભક્તિમાં લીન થવા માગે છે
50 વર્ષની ઉંમરના આઈજી ભારતીના લગ્ન હરિયાણા કેડરના આઈપીએસ વિકાસ અરોરા સાથે થયા છે. તેણી સરકારી રેલ્વે પોલીસમાં એસપી, અંબાલા એસપી, કુરુક્ષેત્રએસપી, રાય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રિન્સિપલ, હરિયાણામાં કરનાલ રેન્જના આઈજી રહી ચૂક્યા છે.
આઈજી ભારતી અરોરાના જણાવ્યા અનુસાર, તે હવે ગુરુ નાનક દેવ,ચૈતન્ય મહાપ્રભુ, કબીરદાસ, તુલસીદાસ, સુરદાસ, મીરાબાઈના માર્ગ પર ચાલીને ભગવાન કૃષ્ણની ભક્તિમાં પોતાનું બાકીનું જીવન પસાર કરવા માગે છે.