સિરસામાં કોંગ્રેસ પર વરસ્યા પીએમ મોદી, તમે સૂઈ રહ્યા અને પીઓકે બની ગયુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે હરિયાણાના સિરસામાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા. ત્યાં તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ કે છેલ્લા 70 વર્ષથી દિલ્લીમાં સરકારો સૂતી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે હરિયાણાના સિરસામાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા. ત્યાં તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ કે છેલ્લા 70 વર્ષથી દિલ્લીમાં સરકારો સૂતી હતી, એક તરફ તે સૂઈ રહ્યા અને બીજી તરફ પાકિસ્તાને કાશ્મીરના મોટા ભાગ પર કબ્જો કરીને તેને પાક અધિકૃત કાશ્મીર (પીઓકે) બનાવી દીધુ. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સોમવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનુ છે આ અંગે પીએમ મોદી ભાજપ માટે જનતા પાસે મતની અપીલ કરવા એલનાબાદ પહોંચ્યા.

પીએમ મોદીએ પોતાના ચૂંટણી ભાષણમાં કોંગ્રેસની પૂર્વ સરકાર પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસની ખોટી નીતિઓએ દેશને નષ્ટ કરી દીધી. દિલ્લીમાં સૂઈ રહેલી કોંગ્રેસ સરકાર એક બાદ એક કાશ્મીરમાં સ્થિતિ બગડતી ગઈ. પહેલા પાકિસ્તાનની મદદથી આપણા કાશ્મીરનો અમુક ભાગ છીનવી લેવામાં આવ્યો. ત્યારબાદ યોજનાબદ્ધ રીતે કાશ્મીરની સંસ્કૃતિ, પરંપરાને દફનાવી દેવામાં આવી. કાશ્મીર પોતાની સૂફી પરંપરા માટે વિશ્વમાં જાણીતુ હતુ. કોંગ્રેસે તેને ઘાટીમાંથી મિટાવી દીધુ.
અનુચ્છેદ 370નો ફરીથી કર્યો ઉલ્લેખ
પ્રધાનમંત્રી મોદીએ જનતાને સંબોધિત કરીને એક વાર ફરીથી અનુચ્છેદ 370નો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ, 70 વર્ષ સુધી કાશ્મીરના લોકોને દુખ ઝેલવુ પડ્યુ, ત્યાંના લોકોએ ટેમ્પરરી સાઈકોલોજી દ્વારા પરમેનેન્ટ તરફ જવા માટે અલગાવવાદનો સહારો લીધો. પીએમે કહ્યુ, ભાઈએ મે કાશ્મીરમાંથી ટેમ્પરરીને ખતમ કરી દીધુ, જ્યારે તમે લોકોએ મને પાંચ વર્ષ માટે પરમેનેન્ટ બનાવી દીધો તો હું ટેમ્પરરી કેમ ચાલવા દઉ.
પીએમ મોદીએ કહ્યુ કે અમારી સરકારે એ નિર્ણય કર્યો છે કે કપૂરથલાથી તરનતારન પાસે ગોવિંદવાલ સાહિબ જતો જે નવો નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો છે તેહવે ગુરુ નાનક દેવજી માર્ગથી ઓળખવામાં આવશે. પીએમ મોદીએ કરતારપુર સાહિબનો પણ ઉલ્લેખ કરીને કહ્યુ કે આ સૌભાગ્ય અમારી સરકારને મળ્યુ જે આપણા ગુરુના પવિત્ર સ્થાન કરતારપુર સાહિબ અને આપણી વચ્ચે અંતર હવે પૂરુ થવાનુ છે.












Click it and Unblock the Notifications
