40,000 જવાનો પર ભારે પડી ભક્તોની જીદ, સંત રામપાલની ધરપકડ થઇ શકી નહી
બરવાલા, 17 નવેમ્બર: શનિવારે લાંબી કશ્મકશ બાદ પણ બરાવાલાથી સંત રામપાલની ધરપકડ થઇ શકી નહી. જો કે વહિવટીતંત્રએ સંત રામપાલના આખા આશ્રમને છાવણીમાં બદલી દિધો હતો પરંતુ સંતોની જીદના લીધે હજુ સુધી સંત રામપાલને પોલીસ પોતાના કબજામાં લઇ શકી નથી. સતલોક આશ્રમમાં હજારો મહિલાઓ અને બાળકો, પુરૂષ અનુયાયીઓ સાથે સંત રામપાલને ધરપકડથી બચવા માટે ઘેરાબંધી બનાવીને ઉભા છે અને તેમને સુરક્ષા આપી રહ્યાં છે. તેમણે આશ્રમમાં પ્રવેશના બધા રસ્તાઓને માનવ શૃંખલા દ્રારા બંધ કરી દિધો છે.
અત્યારે બરાવાલા સહિત આખા વિસ્તારમાં જોરદાર તણાવ છે, પોલીસ એટલા માટે કડકાઇ દાખવી શકતી નથી. સંત રામપાલને સોમવારે સવારે 10 વાગે પંજાબ તથા હરિયાણા હાઇકોર્ટમાં રજૂ કરવાના છે. તેમના ઉપર હત્યા અને હત્યાનું કાવતરું રચવાના આરોપ લાગ્યા છે. આ ઉપરાંત સંત રામપાલ પર કોર્ટની અવગણનાનો આરોપ પણ છે.

જો કે સંત રામપાલના પ્રવક્તાનું કહેવું છે કે સંત કોર્ટમાં જરૂર હાજર થશે પરંતુ તે મેડિકલ ફિટ નથી, તે પહેલાં પણ કોર્ટની સુનાવણીમાં સામેલ થયા છે. તે તેનાથી બચવાનો પ્રયત્ન કરી રહ્યાં નથી એટલા માટે તેમના ઉપર લગાવવામાં આવી રહેલા કાયદાની અવગણનાનો આરોપ ખોટો છે. સુનાવણી તો વીડિયો કોંફ્રેસના માધ્યમથી પણ થઇ શકે છે. વહિવટી તંત્રએ અમારી પાણી, વિજળી, દૂધ બધી વસ્તુઓની આપૂર્તિ બંધ કરી દિધી છે. આ વહિવટીતંત્ર દ્વારા અમારી ઉપર અત્યાચાર છે.
હાઇકોર્ટે ગત અઠવાડિયે પોલીસ અને હરિયાણા સરકારની આકરી ટિકા કરી હતી અને 17 નવેમ્બરના રોજ રામપાલના રોજ ન્યાયાલયમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પાંચ નવેમ્બરના રોજ રામપાલ વિરૂદ્ધ બિન જામીન વોરંટ જાહેર કર્યું હતું, પરંતુ પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી શકી નહી.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
