40,000 જવાનો પર ભારે પડી ભક્તોની જીદ, સંત રામપાલની ધરપકડ થઇ શકી નહી
બરવાલા, 17 નવેમ્બર: શનિવારે લાંબી કશ્મકશ બાદ પણ બરાવાલાથી સંત રામપાલની ધરપકડ થઇ શકી નહી. જો કે વહિવટીતંત્રએ સંત રામપાલના આખા આશ્રમને છાવણીમાં બદલી દિધો હતો પરંતુ સંતોની જીદના લીધે હજુ સુધી સંત રામપાલને પોલીસ પોતાના કબજામાં લઇ શકી નથી. સતલોક આશ્રમમાં હજારો મહિલાઓ અને બાળકો, પુરૂષ અનુયાયીઓ સાથે સંત રામપાલને ધરપકડથી બચવા માટે ઘેરાબંધી બનાવીને ઉભા છે અને તેમને સુરક્ષા આપી રહ્યાં છે. તેમણે આશ્રમમાં પ્રવેશના બધા રસ્તાઓને માનવ શૃંખલા દ્રારા બંધ કરી દિધો છે.
અત્યારે બરાવાલા સહિત આખા વિસ્તારમાં જોરદાર તણાવ છે, પોલીસ એટલા માટે કડકાઇ દાખવી શકતી નથી. સંત રામપાલને સોમવારે સવારે 10 વાગે પંજાબ તથા હરિયાણા હાઇકોર્ટમાં રજૂ કરવાના છે. તેમના ઉપર હત્યા અને હત્યાનું કાવતરું રચવાના આરોપ લાગ્યા છે. આ ઉપરાંત સંત રામપાલ પર કોર્ટની અવગણનાનો આરોપ પણ છે.

જો કે સંત રામપાલના પ્રવક્તાનું કહેવું છે કે સંત કોર્ટમાં જરૂર હાજર થશે પરંતુ તે મેડિકલ ફિટ નથી, તે પહેલાં પણ કોર્ટની સુનાવણીમાં સામેલ થયા છે. તે તેનાથી બચવાનો પ્રયત્ન કરી રહ્યાં નથી એટલા માટે તેમના ઉપર લગાવવામાં આવી રહેલા કાયદાની અવગણનાનો આરોપ ખોટો છે. સુનાવણી તો વીડિયો કોંફ્રેસના માધ્યમથી પણ થઇ શકે છે. વહિવટી તંત્રએ અમારી પાણી, વિજળી, દૂધ બધી વસ્તુઓની આપૂર્તિ બંધ કરી દિધી છે. આ વહિવટીતંત્ર દ્વારા અમારી ઉપર અત્યાચાર છે.
હાઇકોર્ટે ગત અઠવાડિયે પોલીસ અને હરિયાણા સરકારની આકરી ટિકા કરી હતી અને 17 નવેમ્બરના રોજ રામપાલના રોજ ન્યાયાલયમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પાંચ નવેમ્બરના રોજ રામપાલ વિરૂદ્ધ બિન જામીન વોરંટ જાહેર કર્યું હતું, પરંતુ પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી શકી નહી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
