ભડકાઉ ભાષણ મામલે સરેન્ડર કરશે અકબરૂદ્દીન ઓવૈસી
અસાદૂદ્દીને હૈદરાબાદમાં એક બેઠક દરમિયાન આ વાત કહી હતી. અસાદૂદ્દીને જણાવ્યું કે એમઆઇએમ કોઇ ધર્મની સામે નથી, અમારી લડત બીજેપી સામે છે. અમારી લડાઇ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી સાથે છે. નોંધનીય છે કે, હૈદરાબાદના અદિલાબાદમાં એક સમુદાય સામે ભડકાઉ ભાષણ કરવા બદલ આરોપી વિધાયક અકબરુદ્દીન ઓવૈસીની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. પોલીસે ધારા 153 એ અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી. તેઓ હાલ લંડનમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશની પાર્ટી એમઆઇએમના નેતા અને ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીએ અદીલાબાદના એક વિસ્તારમાં એક જનસભાને સંબોધતાં કરતાં કહ્યું કે હિંદુઓ અને મુસલમાનોની ભાવનાને ઠેસ પહોંચાડનાર ભાષણમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખરું-ખોટું સંભળાવી દિધું. તેમને કહ્યું હતું કે 'આવા કેટલાય મોદી આવ્યાને ચાલ્યા ગયા'. આજે લોકો કહી રહ્યાં છે કે મોદી ગુજરાત જીતી લીધું, વજીર-એ-આઝમ બની જશે. જોઇએ કેવી રીતે બને છે. લોકો મુસલમાનોને ડરાવી રહ્યાં છે, અરે ,મોદી છે, મોદી છે. કેવો મોદી, ક્યાંનો મોદી. એક વખત હૈદ્રાબાદ આવી જાય તો બતાવી દઇશું.
ધારાસભ્ય અકબરૂદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું હતું કે ''તસ્લીમા નસરીન આવી, ક્યાં છે. કોઇને ખબર નથી. અરે હિન્દુસ્તાન, હિન્દુસ્તાનમાં અમે 25 કરોડ અને તમે 100 કરોડ છો, તમે તો અમારા કરતા વધારે છો. 15 મિનિટ માટે પોલીસને હટાવી દો. બતાવી દઇશુ કે કોનામાં કેટલી હિંમત છે. સો શું, હજાર શું, કરોડ નામર્દ મળીને પ્રયત્નો કરી લે તો પણ એક મર્દ પેદા કરી ના શકે. આ લોકો અમારી સાથે મુકાબલો કરી ન શકે. જ્યારે મુસલમાનો ભારે પડવા લાગે છે તો આ નામર્દોની ફોજ આવી જાય છે.