દુર્ગાના સસ્પેન્સન પર ઇલાહાબાદ HCએ યુપી-કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

અત્રે ઉલ્લેખનીય છે કે માફિયાઓની સામે અભિયાન ચલાવવાના કારણે એસડીએમ દુર્ગા શક્તિ નાગપાલને અખિલેશ સરકારે શનિવારે રાત્રે તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા હતા.
યુવા આઇએએસ અધિકારી દુર્ગા શક્તિ નાગપાલના સસ્પેન્સન ઓર્ડર પર વિરોધથી ઘેરાઇ રહેલી યુપીની અખિલેશ સરકારની રાજકિય ક્ષેત્રે ખૂબ જ મોટાપાયે ટિકા થઇ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી અખિલેશે દુર્ગાના સસ્પેન્સનને યોગ્ય ગણાવ્યું છે પરંતુ આ મામલામાં યુપી સરકારની પણ ભારે નિંદા થઇ રહી છે.
સસ્પેન્સનને લઇને એવું કહેવામાં આવ્યું હતું કે ખનન માફિયા બોલીના દબાણમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ સરકારનું કહેવું છે કે તેમની સામે આ કાર્યવાહી એક ધાર્મિક સ્થળની દિવાર તોડી પાડવાના આદેશ આપવાના કારણે કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
