ઉત્તરાખંડ: ટિહરીમાં આભ ફાટતા 3ના મોત, હજી 9000 ફસાયેલા છે
દેહરાદૂન, 25 જૂન : ઉત્તરાખંડમાં હજી તો પહેલા આવેલી વિપદાથી ઉભરી શકાયું નથી અને ત્યાં જ ફરી દેવપ્રયાગમાં ફરી વાદળ ફાટવાની ઘટના આજે ઘટી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ઉત્તરાખંડના દેવપ્રયાગમાં આજે સવારે સાઢા છ વાગ્યે ફરી વાદળ ફાટવાની ઘટના ઘટી હતી.
વાદળ ફાટવાની આ ઘટના લગભગ સવારે સાડા છ વાગ્યે ઘટી જેના કારણે ત્રણ લોકો તણાઇ ગયા છે અને કેટલાંક મકાનોના ધ્વસ્ત થવાના સમાચાર પણ આવી રહ્યા છે. ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થઇ ગયા છે.

હવામાન પણ બચાવકામગીરીમાં અડચણ પેદા કરી રહ્યું છે. ભારતીય સેના અત્રે રાહત બચાવ કાર્યમાં લાગેલી છે, સોમવારે રાત્રે જ ઉત્તરાખંડમાં ભારે વરસાદ થઇ રહી છે. હજી પણ ઉત્તરાખંડમાં 10 હજાર લોકો ફસાયેલા છે અને તેમને ત્યાંથી બહાર કાઢવામાં હજી કેટલા દિવસ લાગશે તે કહી શકાય તેમ નથી.












Click it and Unblock the Notifications
