રાજીનામું આી શકે છે હેમંત સોરેન, UPAનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળશે!
ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય હંગામા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આખરે હવે સીએમ હેમંત સોરેન રાજીનામું આપી શકે છે.
ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય હંગામા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આખરે હવે સીએમ હેમંત સોરેન રાજીનામું આપી શકે છે. સોરેને સાંજે 4 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી છે, ત્યારબાદ તેઓ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પછી સોરેન ફરીથી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.
ઝારખંડાં રાજકીય સંકટ
સૂત્રોના જણાવ્યા અનુસાર હેમંત સોરેન બેઠક બાદ રાજ્યપાલ પાસે પહોંચી શકે છે, જ્યાં તેઓ વિધાનસભામાંથી રાજીનામું આપી શકે છે. જો કે આ અંગે અંગે હેમંત સોરેનના ભાઈ વસંત સોરેને મીડિયાને કહ્યું કે આવી કોઈ વાત નથી. બિનજરૂરી આવી અટકળો લગાવવામાં આવી રહી છે.
સભ્યપદ અંગે વિવાદ
સીએમ હેમંત સોરેન ઓફિસ ઓફ પ્રોફિટ કેસમાં ફસાયા છે. આ કેસમાં તેની સામે તપાસ ચાલી રહી છે. આ મામલે ચૂંટણી પંચે રાજ્યપાલને પત્ર લખ્યો હતો, જેમાં હેમંત સોરેનની સદસ્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ ભલામણ પર રાજ્યપાલે નિર્ણય લેવાનો છે, જે ગમે ત્યારે લઈ શકાય છે. આ ખતરાને સમજીને સોરેન પોતે પણ હવે રાજીનામું આપવાનો જુગાર રમી શકે છે. તેઓ પહેલા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી શકે છે અને ફરી એકવાર રાજ્યપાલ સમક્ષ જઈને સરકાર બનાવવાની ઓફર કરી શકે છે. જો કે, સોરેન આમ કરશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
રાયપુરમાં ધારાસભ્યોની ઘેરાબંધી
ઝારખંડમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે હેમંત સોરેને પોતાના ધારાસભ્યોને રાયપુર મોકલ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંના એક રિસોર્ટમાં 30થી વધુ ધારાસભ્યો છે. જેને સંપૂર્ણપણે કોર્ડન કરી દેવામાં આવ્યા છે. આ ધારાસભ્યોને સ્થિતિ સુધરે ત્યાં સુધી અહીં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ મામલે ભાજપે સોરેનને ઘેર્યા છે અને કહ્યું છે કે ધારાસભ્યો પાર્ટી કરી રહ્યા છે. બીજી તરફ, સોરેનનું કહેવું છે કે ભાજપ ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે અને તેમની સરકારને તોડી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.