સાંસદ-ધારાસભ્યો પરના કેસ પાછા ખેંચવા હાઇકોર્ટની મંજુરી જરૂરી:સુપ્રીમ કોર્ટ
હવે સરકાર હાઈકોર્ટની પરવાનગી વગર કોઈપણ સાંસદ અને ધારાસભ્ય સામે નોંધાયેલા કેસો પાછી ખેંચી નહીં શકે.
હવે સરકાર હાઈકોર્ટની પરવાનગી વગર કોઈપણ સાંસદ અને ધારાસભ્ય સામે નોંધાયેલા કેસો પાછી ખેંચી નહીં શકે. એક જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સાંસદો અને ધારાસભ્યો સામે નોંધાયેલા ફોજદારી કેસ હાઇકોર્ટની પરવાનગી વગર પાછ ખેંચી નહીં શકાય. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં સાંસદો અને ધારાસભ્યો સામે નોંધાયેલા કેસો માટે ખાસ કોર્ટ અને ઝડપી ટ્રાયલની માંગ કરાઈ હતી.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે સાંસદ-ધારાસભ્ય વિરુદ્ધ વિશેષ અદાલતની સ્થાપનાના મુદ્દે કેન્દ્ર તરફથી કોઈ જવાબ ન આવતા નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારને જવાબ આપવાની છેલ્લી તક આપવામાં આવી રહી છે. હવે આ મામલે આગામી સુનાવણી 25 ઓગસ્ટે થશે. ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે સરકારને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે તમામ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ એમપી અને એમએલએના પેન્ડિંગ કેસ તેમજ કેસના નિકાલ અંગે તેમના મુખ્ય ન્યાયાધીશને સંપૂર્ણ માહિતી આપે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે સીબીઆઈ કોર્ટ અને અન્ય અદાલતોએ પણ સાંસદો અને ધારાસભ્યો સામે પડતર કેસોની સુનાવણી ચાલુ રાખે.
તમને જણાવી દઈએ કે, રાજકારણમાં વધી રહેલા ગુનાહિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. આ આદેશ બાદ હવે સરકાર હાઈકોર્ટની પરવાનગી વગર કોઈપણ સાંસદ અને ધારાસભ્ય સામે નોંધાયેલા ફોજદારી કેસો પાછી ખેંચી શકશે નહીં.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
