Himachal Pradesh Election 2022: તમારો એક-એક મત મારી શક્તિ વધારશે, હિમાચલની જનતાને PM મોદીએ લખ્યો પત્ર
Himachal Pradesh Election 2022 : વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી ચૂંટણી પહેલા હિમાચલ પ્રદેશના મતદાતાઓને એક ખુલ્લો પત્ર લખ્યો હતો.
Himachal Pradesh Election 2022 : વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી ચૂંટણી પહેલા હિમાચલ પ્રદેશના મતદાતાઓને એક ખુલ્લો પત્ર લખ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ દ્વારા વડાપ્રધાન મોદીના આ પત્રને હિમાચલ પ્રદેશના મતદાતાઓ સુધી પહોંચાડવાની જવાબદારી ભાજપ સંગઠન પ્રભારીને સોંપવામાં આવી છે. આ માટે જિલ્લાકક્ષાએ આયોજનો થઇ રહ્યા છે.
ટૂંક સમયમાં યોજાનારી Himachal Pradesh Election 2022ને અનુલક્ષીને લખેલા પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં લખ્યું છે કે, આ સમયે જ્યારે તમે આપણી દેવભૂમિના ભવિષ્ય માટે તમારો મહત્વપૂર્ણ મત આપવા જઈ રહ્યા છો, ત્યારે હું તમારા અવિરત આશીર્વાદ અને પ્રેમ માટે તમને નમન કરવા માંગુ છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રમાં લખ્યું છે કે, હિમાચલ એક એવી અલૌકિક ભૂમિ છે કે, જે વ્યક્તિ એકવાર પણ મુલાકાત લે છે, તે જીવનભર તેની આભા અનુભવે છે. મને ઘણી વખત તમારી વચ્ચે રહેવાનો લ્હાવો મળ્યો છે. આ ઋણ ચૂકવવા માટે હિમાચલની અવિરત સેવા કરવી એ મારી જીવનભરની ફરજ છે.