Himachal pradesh Exit polls : હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર
Himachal pradesh Exit polls : ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. જે બાદ હવે અનેક એક્ઝિટ પોલના આકડાએ જાહેર કરવામાં આવી રહ્યા છે.
Himachal pradesh Exit polls : ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. જે બાદ હવે અનેક એક્ઝિટ પોલના આકડાએ જાહેર કરવામાં આવી રહ્યા છે. આવા સમયે ભરોસાપાત્ર ગણાતા Today's Chanakya news24 એક્ઝિટ પોલના આંકડા પણ જાહેર થઇ ગયા છે. આ એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસ અને ભારતીય જનતા વચ્ચે કાંટાની ટક્કર છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામોની આગાહીઓ પર નજર કરીએ તો કોંગ્રેસ અને ભાજપ બંનેને 33-33 સીટો મળી શકે છે. 7 બેઠકોના નફા-નુકસાનનો અંદાજ છે. અન્ય ઉમેદવારને 2 બેઠકો મળતી હોવાનો અંદાઝ છે.
કોંગ્રેસ-ભાજપ બંનેને 42 ટકા વોટ મળવાની ધારણા
આ એક્ઝિટ પોલ અનુસાર હિમાચલ પ્રદેશમાં બંને પક્ષોને 42 ટકા વોટ મળવાની ધારણા છે. આવા સમયે 3 ટકા મતનો ફાયદો કે, નુકસાન થઇ શકે છે તેવી શક્યતા છે. તો બીજી તરફ એવો અંદાજ છે કે, 16 ટકા વોટ અન્ય ઉમેદવારે મળશે. એમાં પણ 3 ટકા વોટ વધુ કે ઓછા થઇ શકે છે. આ એક્ઝિટ પોલ મુજબ અનુસૂચિત જાતિને છોડીને, ભાજપ અન્ય તમામ વિભાગોમાં કોંગ્રેસ પર આગળ હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ અનુસૂચિત જાતિના મતદારોમાં ભાજપ કરતાં કોંગ્રેસને 21 ટકા વધુ સમર્થન દેખાય છે. આવા જ રીતે રાજપૂત મતદારોમાં ભાજપ કોંગ્રેસ કરતા 10 ટકા આગળ છે.
હિમાચલમાં છે સત્તા બદલવાની પરંપરા
હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસ અને સત્તાધારી ભાજપ વચ્ચે સીધો મુકાબલો થવાની આશા છે. આમ આદમી પાર્ટી હિમાચલ પ્રદેશમાં ચૂંટણી લડી રહી છે. આ સાથે હિમાચલમાં છેલ્લી અનેક ચૂંટણીઓથી સત્તા પરિવર્તનની પરંપરા જોવા મળી રહી છે. મતલબ કે, ભાજપ અને કોંગ્રેસમાં વારાફરતી ખુરશીની અદલાબદલી થઈ છે. આ કારણોસર આ પરંપરાના આધારે કોંગ્રેસ તેની વાપસીની ગણતરી કરી રહી છે, પરંતુ ભાજપ માની રહ્યું છે કે, આ વખતે રાજ્યમાં આ પરંપરા તૂટી જશે અને ફરીથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે.
8 ડિસેમ્બરના રોજ આવશે પરિણામ
હિમાચલ પ્રદેશમાં કુલ 68 વિધાનસભા બેઠકો છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 12 નવેમ્બરના રોજ યોજાઈ હતી. હિમાચલ પ્રદેશમાં આ વખતે એક જ તબક્કામાં 65.92 ટકા મતદાન થયું હતું. રાજ્યમાં સરકાર બનાવવા માટે પાર્ટીને સાદી બહુમતી માટે ઓછામાં ઓછી 35 સીટોની જરૂર હોય છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે 8 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ










Click it and Unblock the Notifications
