હિમાચલઃ ઘરમાં લાગેલી આગથી પરિવારના 4 લોકો જીવતા ભૂંજાયા, CM જયરામ ઠાકુરે વ્યક્ત કર્યુ દુઃખ
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના એક ઘરમાં આગ લાગવાથી પરિવારના ચાર લોકોના મોત થઈ ગયા.
ચંબાઃ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના એક ઘરમાં આગ લાગી ગઈ. આગથી પરિવારના ચાર લોકોના મોત થઈ ગયા. આ ઉપરાંત ત્યાં બાંધેલા પશુઓ પણ આગની ચપેટમાં આવી ગયા. પશુઓ પણ તડપી-તડપીને મરી ગયા. માહિતી મળતા સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થવા લાગ્યા. આગ ઓલવવામાં આવી. જિલ્લાના એક અધિકારીએ જણાવ્યુ કે ઘટના સાથે સંબંધિત વધુ માહિતી ભેગી કરવામાં આવી રહી છે. વળી, ઘટના અંગેની માહિતી રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને મળતા તેમણે મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યુ.
જયરામ ઠાકુરે આજે સવારે ટ્વિટ કર્યુ. તેમણે ટ્વિટ કરીને લખ્યુ, 'તીસાના સૂઈલા ગામ સ્થિત એક ઘરમાં આગ લગવાના કારણે પરિવારના 4 સભ્યો અને અમુક પશુઓના અસામયિક મૃત્યુની પીડાદાયક સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખી છુ. ઈશ્વર દિવંગતના આત્માઓને પોતાના શ્રીચરણોમાં સ્થાન તથા પરિવારજનોને શક્તિ આપે. ઓમ શાંતિ શાંતિ.'
तीसा के सुईला गांव स्थित एक घर में आग लगने के कारण परिवार के चार सदस्यों और कुछ पशुओं की असामयिक मृत्यु की पीड़ादायक खबर सुनकर बहुत दुःखी हूं।
— Jairam Thakur (@jairamthakurbjp) March 29, 2021
ईश्वर दिवंगत आत्माओं को अपने श्रीचरणों में स्थान तथा परिजनों को संबल प्रदान करें।
ॐ शांति शांति!
પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ શરદ પવાર હોસ્પિટલમાં થયા ભરતી