હિમાચલઃ ઘરમાં લાગેલી આગથી પરિવારના 4 લોકો જીવતા ભૂંજાયા, CM જયરામ ઠાકુરે વ્યક્ત કર્યુ દુઃખ

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના એક ઘરમાં આગ લાગવાથી પરિવારના ચાર લોકોના મોત થઈ ગયા.

ચંબાઃ હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના એક ઘરમાં આગ લાગી ગઈ. આગથી પરિવારના ચાર લોકોના મોત થઈ ગયા. આ ઉપરાંત ત્યાં બાંધેલા પશુઓ પણ આગની ચપેટમાં આવી ગયા. પશુઓ પણ તડપી-તડપીને મરી ગયા. માહિતી મળતા સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થવા લાગ્યા. આગ ઓલવવામાં આવી. જિલ્લાના એક અધિકારીએ જણાવ્યુ કે ઘટના સાથે સંબંધિત વધુ માહિતી ભેગી કરવામાં આવી રહી છે. વળી, ઘટના અંગેની માહિતી રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને મળતા તેમણે મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યુ.

fire

જયરામ ઠાકુરે આજે સવારે ટ્વિટ કર્યુ. તેમણે ટ્વિટ કરીને લખ્યુ, 'તીસાના સૂઈલા ગામ સ્થિત એક ઘરમાં આગ લગવાના કારણે પરિવારના 4 સભ્યો અને અમુક પશુઓના અસામયિક મૃત્યુની પીડાદાયક સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખી છુ. ઈશ્વર દિવંગતના આત્માઓને પોતાના શ્રીચરણોમાં સ્થાન તથા પરિવારજનોને શક્તિ આપે. ઓમ શાંતિ શાંતિ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X