હિઝબુલઃ ‘અમરનાથ યાત્રીઓ અમારા મહેમાન, નહિ કરીએ હુમલા'
હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ રિયાઝ નાઈકૂએ કહ્યુ છે કે અમરનાથ યાત્રાએ આવનારા તીર્થયાત્રીઓ તેમના મહેમાન છે.
હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ રિયાઝ નાઈકૂએ કહ્યુ છે કે અમરનાથ યાત્રાએ આવનારા તીર્થયાત્રીઓ તેમના મહેમાન છે. રિયાઝે એક ઓડિયો મેસેજ જારી કરીને આ વાત કહી છે. અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે. યાત્રા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ગયા વર્ષે અમરનાથ યાત્રીઓને આતંકી હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં આઠ યાત્રીઓના મોત નીપજ્યા હતા.

આતંકીઓએ ક્યારેય નથી બનાવ્યા તીર્થયાત્રીઓને નિશાન
નાઈકૂએ કહ્યુ કે હિઝબુલનો અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવાનો કોઈ પ્લાન નથી. તેણે કહ્યુ કે અમે ક્યારેય યાત્રીઓ પર હુમલા નહિ કરીએ કારણકે તે અહીં અમારા મહેમાન છે અને અહીં ધાર્મિક કારણોથી આવે છે. નાઈકૂની માનીએ તો આતંકીઓએ ક્યારેય અમરનાથ યાત્રીઓ પર હુમલા નથી કર્યા. આતંકીઓની યાત્રીઓ સાથે કોઈ દુશ્મની નથી અને તે તેમની સાથે કોઈ યુધ્ધ લડવા નથી ઈચ્છતા.

સુરક્ષા વિના આવે યાત્રીઓ
રિયાઝ નાઈકૂએ કહ્યુ કે અમે તેમની સામે લડાઈ લડી રહ્યા છે જે કાશ્મીરના લોકોનો અવાજ દબાવી રહ્યા છે. વળી, નાઈકૂએ પોલિસના એ દાવાને પણ ફગાવી દીધો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આતંકીઓએ અમરનાથ તીર્થયાત્રીઓને નિશાન બનાવવાની યોજના બનાવી છે. નાઈકૂએ કહ્યુ કે અમે આ પહેલા પણ ક્યારેય યાત્રીઓને નિશાન નથી બનાવ્યા. નાઈકૂએ કહ્યુ કે યાત્રી અહીં સુરક્ષા વગર આવે છે. તે અમારા મહેમાન છે અને તેમણે ડરવાની જરૂર નથી.

ગયા વર્ષે થયો હતો આતંકી હુમલો
સુરક્ષા એજન્સીઓ તરફથી દર વર્ષે થતી અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગયા વર્ષે યાત્રા પર થયેલા આતંકી હુમલામાં આઠ લોકોના મોત નીપજ્યા હતા. આ દરમિયાન જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ એન એન વોહરાને જાણકારી આપવામાં આવી છે કે આ વર્ષે બે લાખથી વધુ યાત્રીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. વોહરા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (એસએએસબી) ના ચેરમેન પણ છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
