હિઝબુલઃ ‘અમરનાથ યાત્રીઓ અમારા મહેમાન, નહિ કરીએ હુમલા'
હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ રિયાઝ નાઈકૂએ કહ્યુ છે કે અમરનાથ યાત્રાએ આવનારા તીર્થયાત્રીઓ તેમના મહેમાન છે.
હિઝબુલ મુજાહિદ્દીનના ચીફ રિયાઝ નાઈકૂએ કહ્યુ છે કે અમરનાથ યાત્રાએ આવનારા તીર્થયાત્રીઓ તેમના મહેમાન છે. રિયાઝે એક ઓડિયો મેસેજ જારી કરીને આ વાત કહી છે. અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે. યાત્રા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ગયા વર્ષે અમરનાથ યાત્રીઓને આતંકી હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં આઠ યાત્રીઓના મોત નીપજ્યા હતા.

આતંકીઓએ ક્યારેય નથી બનાવ્યા તીર્થયાત્રીઓને નિશાન
નાઈકૂએ કહ્યુ કે હિઝબુલનો અમરનાથ યાત્રીઓને નિશાન બનાવવાનો કોઈ પ્લાન નથી. તેણે કહ્યુ કે અમે ક્યારેય યાત્રીઓ પર હુમલા નહિ કરીએ કારણકે તે અહીં અમારા મહેમાન છે અને અહીં ધાર્મિક કારણોથી આવે છે. નાઈકૂની માનીએ તો આતંકીઓએ ક્યારેય અમરનાથ યાત્રીઓ પર હુમલા નથી કર્યા. આતંકીઓની યાત્રીઓ સાથે કોઈ દુશ્મની નથી અને તે તેમની સાથે કોઈ યુધ્ધ લડવા નથી ઈચ્છતા.

સુરક્ષા વિના આવે યાત્રીઓ
રિયાઝ નાઈકૂએ કહ્યુ કે અમે તેમની સામે લડાઈ લડી રહ્યા છે જે કાશ્મીરના લોકોનો અવાજ દબાવી રહ્યા છે. વળી, નાઈકૂએ પોલિસના એ દાવાને પણ ફગાવી દીધો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આતંકીઓએ અમરનાથ તીર્થયાત્રીઓને નિશાન બનાવવાની યોજના બનાવી છે. નાઈકૂએ કહ્યુ કે અમે આ પહેલા પણ ક્યારેય યાત્રીઓને નિશાન નથી બનાવ્યા. નાઈકૂએ કહ્યુ કે યાત્રી અહીં સુરક્ષા વગર આવે છે. તે અમારા મહેમાન છે અને તેમણે ડરવાની જરૂર નથી.

ગયા વર્ષે થયો હતો આતંકી હુમલો
સુરક્ષા એજન્સીઓ તરફથી દર વર્ષે થતી અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગયા વર્ષે યાત્રા પર થયેલા આતંકી હુમલામાં આઠ લોકોના મોત નીપજ્યા હતા. આ દરમિયાન જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ એન એન વોહરાને જાણકારી આપવામાં આવી છે કે આ વર્ષે બે લાખથી વધુ યાત્રીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. વોહરા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (એસએએસબી) ના ચેરમેન પણ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
