Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સરકારને નથી ખબર કે કેવી રીતે થયું ડૉ. આંબેડકરનું નિધન

ambedkar
નવીદિલ્હી, 5 ડિસેમ્બરઃ ભારત સરકાર પાસે સંવિધાન નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નિધન સંબંઘિત કોઇ જાણકારી નથી. આ ભલે થોડુંક અટપટું લાગતું હોય, પરંતુ આરટીઆઇ થકી માંગવામાં આવેલી જાણકારીમાં કેન્દ્ર સરકારે આવો જવાબ આપ્યો છે.

આરટીઆઇ એક્ટ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં કેન્દ્રના બે મંત્રાલય અને આંબેડકર પ્રતિષ્ઠાને પોતાની પાસે આંબેડકરના નિધન સંબંધિત જાણકારી હોવનો ઇન્કાર કર્યો છે. એક મંત્રાલયના જનસૂચના અધિકારીએ એમ પણ કહ્યું કે તેમને એ વાતની પણ જાણકારી નથી કે માંગવામાં આવેલી માહિતી કયા વિભાગને સંબંધિત છે.

આરટીઆઇ કાર્યકર્તા આર એચ બંસલે પણ રાષ્ટ્રપતિ સચિવાલયમાં અરજી દાખલ કરીને પૂછ્યું કે ડૉ. ભીમરાવ આંબેડકરનું નિધન ક્યાં અને કેવી રીતે થયું? તેમણે એમપણ પૂછ્યું કે શું નિધન બાદ તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોય તો તેની એક કોપીની માંગણી પણ કરી હતી.

અરજીમાં એમ પણ પૂછવામાં આવ્યું હતું કે બંધારણના ઘડવૈયાની નિધન કુદરતી હતું કે પછી હત્યા. તેમનું નિધન કઇ તારીખે થયું હતું. કોઇ આયોગ કે સમિતિએ તેમના નિધનની તપાસ કરી હતી?

રાષ્ટ્રપતિ સચિવાલયે આ અરજી ગૃહમંત્રાલય પાસે મોકલી આપી હતી, જેમાં ગૃહ મંત્રાલય દ્વારા અરજદારને જણાવવામાં આવ્યું કે, ડૉ. આંબેડકરના નિધન સંબંધિત કોઇપણ પ્રકારની માહિતી મંત્રાલયના કોઇપણ વિભાગ પાસે ઉપલબ્ધ નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X