પુંછમાં સેના પરના હુમલામાં ચીની ગોળીઓ કેવી રીતે આવી? ઘણા મોટા સવાલ ઉઠાવી રહ્યો છે હુમલો?
જમ્મુ કાશ્મીર પુંછમાં થયેલા આંતકી હુમલાએ ફરી એક વખત કાશ્મીરમાં આતંકની હાજરીનો પર્દાફાસ કર્યો છે. 20 એપ્રિલે પુંછ હાઈવે પર થયેલા આ હુમલામાં સેનાના 5 જવાનો શહિદ થયા હતા.
હવે આ આતંકવાદી હુમલાને લઈને સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાએ આ હુમલો કર્યો હોવાની આશંકા છે. સ્થળ પરથી ચીનમાં બનેલી 7.62 એમએમની સ્ટીલ-કોર બુલેટ પણ મળી આવી છે. આ ગોળીએ ઘણા સવાલો પેદા કર્યા છે.

અહેવાલો અનુસાર, હુમલામાં ચાઈનીઝ બનાવટની 7.62 એમએમની સ્ટીલ-કોર બુલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ દ્વારા એકે 47 રાઈફલમાંથી છોડાયેલી આ ગોળી ચાઈનીઝ બનાવટની 7.62 એમએમ બુલેટ છે. આ ગોળીઓ જવાનોના બુલેટપ્રૂફ જેકેટને ભેદવામાં પણ સફળ રહી અને જવાનોના જીવ લીધા.
આ ગોળીઓ પર મેડ ઇન ચાઇના લખેલું જોવા મળ્યું છે. સૌથી મોટી વાત કે આ ગોળી સ્ટીલની શીટને પણ વીંધી નાખે છે. આતંકવાદીઓ પાસે આટલા આધુનિક હથિયાર ક્યાંથી આવ્યા તે એક મોટો સવાલો છે.
રિટાયર્ડ કર્નલ દાનવીર સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, જમ્મુ-કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ પાસેથી જે પણ હથિયારો મળી આવ્યા છે તેકાં તો પાકિસ્તાનમાં બનેલા છે કે પછી ચીનમાં. આપણે યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાન દાવો કરે છે કે તેની ચીન સાથે મિત્રતા છે. કાશ્મીરમાં ચાઈનીઝ હથિયારો તેનો પુરાવો છે.












Click it and Unblock the Notifications
