ચાંદની ધરતી પર જોવા મળતા મોટા મોટા ખાડા આખરે કેવી રીતે બન્યા, જાણો શું છે તેની પાછળનું રહસ્ય?
ભારતે ચંદ્રના સાઉથ પોલ પર ઉતરીને દુનિયામાં ફરી એક વખત અવકાશમાં સુપર પાવર બનવા તરફ આગળ વધી રહ્યું હોવાના સંકેત આપી દીધા છે. ઈસરોની આ સફળતા આવનારા સમયમાં ચંદ્રના ઘણા રાઝ ખોલી શકે છે.
રહસ્યોથી ભરેલી ચંદ્રની ધરતી વિશાળ ખાડાઓથી ભરેલી પડી છે. ફોટોમાં તમે જોયુ હશે કે ચંદ્રની સપાટી પણ ઘણા મોટા ખાડાઓ આવેલા છે. આ ખાડાઓ કેમ આવેલા છે તે એક રહસ્ય છે. આજે અમે આ રહસ્ય પરથી પરદો ઉઠાવવા જઈ રહ્યા છીએ.

તમને જાણીને નવાઈ લાગશે કે ચંદ્રની ઘરતી પર સતત નાના-મોટા ઉલ્કાપિંડોનો વરસાદ થઈ રહ્યો છે. આ ઉલ્કાપિંડને કારણે ચંદ્રની ધરતી પર કેટલાક નાના તો કેટલાક મોટા ક્રેટર જોવા મળી રહ્યા છે. આ ક્રેટર એટલા મોટા છે કે તેમાં પુરા શહેર સમાઈ જાય.
નાસાએ આવા ઘણા મોટા ખાડા શોધી કાઢ્યા છે, જે ચંદ્ર પર ઉલ્કાઓ પડવાને કારણે બન્યા છે. ચંદ્ર પર સેંકડો વર્ષોથી ઉલ્કાઓ પડી રહી છે, જેના કારણે ત્યાં આવા લાખો ખાડા છે. ચંદ્ર પર વાતાવરણ ન હોવાથી ત્યાં કોઈપણ પ્રકારની હલચલ થતી નથી. આજ કારણ છે કે ત્યાં નાનો એક ખાડો કે પગલાના નિશાન પણ વર્ષો સુધી જોવા મળે છે.
અહીં તમને જણાવી દઈએ કે, ભારતનું ચંદ્રયાન 3 મિશન સફળતાપુર્વક ચાંદની ધરતી પર પહોંચી ગયુ છે. અહીં ઉતર્યા બાદ વિક્રમ લેન્ડર હવે ચંદ્રની ધરતી પર ફરશે અને ઘણા રાઝ ખોલશે. બની શકે કે આ એવા રાઝ હોય જે હજુ સુધી દુનિયા સામે આવ્યા નથી.












Click it and Unblock the Notifications
