ભારત સરકારનું સૌથી મોટું હથિયાર 'સોશિયલ નેટવર્કિંગ'
નવી દિલ્હી, 16 જૂન: કેવી રીતે ભાજપને આટલી બધી બહુમતી મળી ગઇ, કેવી રીતે જનતા છેલ્લા 60 વર્ષની માનસિકતામાંથી બહાર આવી ગઇ અને આખરે કેવી રીતે પળેપળની ખબર લોકો સુધી પહોંચી રહી છે? આ તમામ સવાલોનો જવાબ ભારત સરકારની પાસે છે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાસે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26ના રોજ શપથ લીધા બાદ એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે તેમના મંત્રિમંડળ સહિત પીએમઓ ઓફીસમાં કામ કરનારા તમામ કર્મચારીઓ અને ભાજપના કાર્યકર્તા તેમજ સભ્યો સોશિયલ નેટવર્કિંગનો પ્રયોગ કરશે. મોદીએ એ પણ જણાવ્યું હતું કે એવું કરવાથી ખૂબ જ સરળતાથી આટલા મોટા દેશમાં જન-જન સુધી પહોંચી શકાય છે. કોઇ પણ મંત્રી અથવા તો અધિકારી સોશિયલ નેટવર્કિંગ દ્વારા ભારત સરકાર સાથે જોડાયેલ લોકોને અવગણશે નહીં.
નરેન્દ્ર મોદીએ પોતાના નિર્દેશમાં એક વાત સ્પષ્ટ કરી દીધી છે કે એવું નહીં કરનારા લોકોએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ મુશ્કેલી માત્ર ભારત સરકાર દ્વારા જ નહીં પરંતુ સામાન્ય લોકો દ્વારા પણ મળી શકે છે. મોદી અનુસાર, સોશિયલ નેટવર્કિંગ દ્વારા લાખો-કરોડો લોકો જોડાયેલા છે. આ એ લોકો છે જે ઇચ્છે છે કે તેમની સમસ્યા સમયના અભાવમાં કોઇ પણ અધિકારી અથવા તો નેતા સોશિયલ નેટવર્કિંગ દ્વારા સાંભળો અને સંભવત: પૂરી પણ કરી દે.

ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટથી માત્ર જોડાવું જ નથી, પરંતુ તેનું અધ્યયન પણ કરવું છે. આ અધ્યયન એવું હોવું જોઇએ કે યૂઝર્સને માલૂમ પડે કે તેમની સાથે સંકળાયેલા લોકો કેવા પ્રકારની આશા રાખી રહ્યા છે, અને શું ફેરફાર જોવા માગે છે. આ પ્રક્રિયા દ્વારા ખરેખર આ સ્થિતિને સમજાઇ શકાય છે, કે આખરે દેશની જનતાની કંઇ પ્રમુખ અપેક્ષાઓ ભારત સરકાર પાસે છે.
વર્તમાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક ટ્વિટ એકાઉન્ટ છે @narendramodi ના નામથી જેની પર 4.8 મિલિયન લોકો તેમની સાથે સંકળાયેલા છે. આની સાથે જ ભારત સરકારનું પણ એક ટ્વિટર એકાઉન્ટ છે. જેમાં 1.61 મિલિયન લોકો તેમને ફોલો કરી રહ્યા છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
