શું જવાબદારીઓથી ભાગવા માટે કે ચંદ્રશેખર રાવે વિધાનસભાનો ભંગ કર્યો હતો?
શું જવાબદારીઓથી ભાગવા માટે KCRએ વિધાનસભાનો ભંગ કર્યો હતો?
નવી દિલ્હીઃ તેલંગણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ અને મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે રાજ્ય વિધાનસભા ચૂંટણીથી આઠ મહિના પહેલા જ વિધાનસભા ભંગ કરી દીધો. કેસીઆરે ભલે કોઈ ઉદ્દેશ્ય સાથે વિધાનસભા ભંગ કરી હોય, પરંતુ વિપક્ષે આરોપ લગાવ્યો છે કે સીએમ પોતાની જવાબદારીઓથી ભાગી રહ્યા છે અને લોકોને કરેલા વાયદાઓ પૂરા કરવામાં તેઓ નાકામ રહ્યા છે. કેસીઆર પર આરોપ છે કે એમણે માત્ર રાજ્યમાં જ કોંગ્રેસને પગપેસારો કરવાનો મોકો નથી આપ્યો પણ સાથોસાથ જનતા અને પાર્ટીને પણ દગો આપ્યો છે.

કેસીઆર જવાબદારીથી ભાગી રહ્યા છે
કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ હવે યાદ અપાવી રહી છે કે કેવી રીતે કેસીઆરે વાયદા કર્યા હતા કે જો કોંગ્રેસ તેલંગણાના ગઠનની મંજૂરી આપે છે તો ટીઆરએસનો આનાથી વિલય કરવામાં આવશે, પરંતુ કેસીઆરે કોંગ્રેસની સાથે ટીઆરએસના વિલયના વિચારને પણ રદ કરી દીધો છે. હવે ચૂંટણી સમયે એ પણ યાદ અપાવવામાં આવી રહ્યું છે કે 2014ની ચૂંટણીમાં કેસીઆરે દલિતને મુ્ખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા અને એલકેજીથી પીજી સુધી મફત શિક્ષા આપવાનો વાયદો કર્યો હતો, જે પૂરો ન થઈ શક્યો.

વાયદા પરીપૂર્ણ ન કર્યા
તેલંગણા સરકાર પર સવાલ ઉઠી હ્યા છે કે તેઓ માત્ર રાજ્યના પાણી અને સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવામાં નાકામ જ નથી રહ્યા, બલકે રોજગાર પણ પેદા નથી કરી શક્યા. આ ઉપરાંત પોતાના પાડોસી રાજ્ય આંધ્રપ્રદેશ સાથે ચાલી રહેલા વિવાદને ખતમ કરવામાં પણ કેસીઆર નિષ્ફળ રહ્યા છે. પાણીની સમસ્યાને કારણે તેલંગણામાં કેટલાય પ્રોજેક્ટ્સ બંધ કરવા પડ્યા છે.

યોજના સરકાર પર જ ભારે પડી
પાણીનો યોગ્ય ઉપયોગ કરવામાં નિષ્ફળ રહેલ કેસીઆર સરકારે ખેડૂતોની સાથે સૌથી વધુ અન્યાય કર્યો છે. જ્યારે સરકારે ખેડૂતો માટે જે ઋતુ બંધુ યોજના બનાવી હતી, તે ખુદ પર જ બોજ બની ગઈ છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર પ્રત્યેક ખેડૂત માટે પ્રતિ સીઝન 4000 રૂપિયા પ્રતિ એકડનું રોકાણ પ્રદાન કરી રહી છે. સરકારે આ વચ્ચે રવી સત્રમાં 4000 રૂપિયા પ્રતિ એકરનું વિતરણ કરવાનું પ્રાવધાન છે. પરંતુ સરકારની આ ઋતુ બધુ યોજના તે નાના ખેડૂતો સુધી પહોંચી શકી નથી, જ્યાં હકિકતમાં પહોંચવા માગતી હતી. તેલંગણામાં 60થી 65 ટકા લેન્ડ ઑનર્સ ખેતી નથી કરતા. પરંતુ એમને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
