હાલ લોકસભા ચૂંટણી થાય તો બીજેપીને કેટલી સીટો મળે? જાણો લેટેસ્ટ સર્વેમાં કોંગ્રેસને કેટલી સીટો?
બહુ જલ્દી દેશમાં હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીના માહોલ વચ્ચે મુુડ ઓફ નેશનનો દેશને લઈને એક સર્વે સામે આવ્યો છે.
આ સર્વેમાં દેશમાં આજે લોકસભાની ચૂંટણી થાય તો કોની સરકાર બનશે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વેમાં ચૌકાવનારા તારણો મળ્યા છે.

સર્વે અનુસાર, હાલ લોકસભા ચૂંટણી થાય તો એનડીએને 299 સીટો મળવાની સંભાવના છે, ઈન્ડિયા બ્લોકને 233 સીટો મળવાની સંભાવના છે, જ્યારે અન્યને 11 સીટો મળવાની સંભાવના છે.
ઈન્ડિયા ટુડેએ સી વોટર સાથે મૂડ ઓફ ધ નેશન સર્વે કર્યો છે. આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જો સીટો અને વોટ શેરની વાત કરીએ તો એનડીએને 44 ટકા વોટ, ઈન્ડિયા બ્લોકને 40 ટકા વોટ અને અન્યને 16 ટકા વોટ મળી શકે છે.
સર્વે અનુસાર, એનડીએને 6 બેઠકોનો ફાયદો મળી રહ્યો છે. ઇન્ડિયા એલાયન્સ 1 સીટ ગુમાવી રહ્યું છે. એટલે કે એનડીએ ગઠબંધનની તાકાત હજુ પણ મજબૂત છે.
આ સર્વે અનુસાર, જો આજે દેશમાં લોકસભાની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીને 38 ટકા અને કોંગ્રેસને 25 ટકા વોટ મળી શકે છે. જ્યારે અન્યને 37 ટકા મત મળવાની ધારણા છે.
મૂડ ઓફ ધ નેશન સર્વે અનુસાર, દેશમાં બે રાષ્ટ્રીય પાર્ટીઓની સીટોની વાત કરીએ તો સર્વે મુજબ ભારતીય જનતા પાર્ટીને 244 અને કોંગ્રેસને 106 સીટો મળવાની ધારણા છે. જ્યારે અન્યની વાત કરીએ તો લગભગ 193 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
